April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

  • દાનહમાં 199ર-93થી 2016ના વર્ષ સુધી ભૂમિહીન આદિવાસીઓને ખેતી કરવા અપાયેલા જમીનના પ્‍લોટોને રાજકીય નેતાઓ, દલાલો, લેન્‍ડ માફિયા અને ઔદ્યોગિક માલિકોની મીલીભગતમાં સોનાના ટૂકડા જેવી જમીન પાણીના ભાવે પડાવી લઈ આદિવાસીઓના બેંક ખાતા સાથે પણ કરેલી છેતરપીંડીની તળીયા ઝાટક તપાસ કરાવવા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયાનો પ્રસ્‍તાવ

  • દાદરા નગર હવેલીને બંધારણની પાંચમી અનુસૂચીમાં દાખલ કરી આદિવાસી સમુદાયના અધિકારને સુરક્ષિત કરવા પણ પ્રશાસકશ્રી સમક્ષ કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી ટેરેટોરીયલ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલીના વિસ્‍તારને બંધારણની પાંચમી અનુસૂચીમાં નોટીફાઈડ કરવા પ્રશાસન વતી ભારતના રાષ્‍ટ્રપતિ અને ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા સંબંધિત વિભાગોને દરખાસ્‍ત મોકલવા રજૂઆત કરી હતી. તેમણેતાત્‍કાલિક પ્રદેશમાં આદિવાસી સલાહકાર સમિતિની રચના માટે પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો.
દાનહ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ વર્ષ 199ર-93થી વર્ષ 2016 સુધી સેંકડો ભૂમિહીન આદિવાસી સમુદાયને આપવામાં આવેલ પ્‍લોટનું કેટલાક રાજકીય નેતાઓ, દલાલો, લેન્‍ડ માફિયા અને ઔદ્યોગિક માલિકો દ્વારા પાણીના ભાવે કરાયેલા વેચાણ તથા તેમની જમીનના પૈસા આપવા પણ કરાયેલી ગેરરીતિના સંદર્ભમાં જ્‍યુડિશીયલ અથવા સીબીઆઈ તપાસ શરૂ કરાવવા પણ માંગણી કરી હતી.
શ્રી પ્રભુભાઈ ટોકિયાએ હરિયાણા સરકારની તર્જ ઉપર પ્રાઈવેટ સેક્‍ટરમાં 75 ટકા નોકરીઓ પ્રદેશના આદિવાસી અને સ્‍થાનિકો માટે અનામત રાખવા પણ પોતાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. તેમણે દાનહમાં પરપ્રાંતિયો દ્વારા રપ-30 વર્ષ પહેલા એકાદ-બે ગુંઠા લીધેલ જમીનના 4×6ના વર્ષોથી પડતર કેસનું તાત્‍કાલિક નિરાકરણ લાવવા પણ પોતાની રજૂઆત કરી હતી.
દાનહ કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના આદિવાસી અને સ્‍થાનિક લોકોના સંરક્ષણ અને અધિકારને સુરક્ષિત કરવા માટે અન્‍ય રાજ્‍યથી નોકરી, વ્‍યવસાય માટે આવતા પ્રવાસી ભારતીય સમાજને નિયંત્રિત રાખવા દેશના નોર્થ ઈસ્‍ટના ચાર રાજ્‍યોની તર્જ ઉપર ઈનર લાઈન પરમીટ અથવા આંતરરાજ્‍ય પ્રવાસી મજદુર અધિનિયમ(1979)નેલાગુ કરવા પણ પોતાની રજૂઆત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાની રજૂઆતને ધ્‍યાનથી સાંભળી તેમણે બહુમતી આદિવાસી સમુદાયના કલ્‍યાણ અને તેમના અધિકારના રક્ષણ માટે યોગ્‍ય કાર્યવાહી કરવા આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

દમણ-દીવની સેવા સંસ્‍થા ‘આશા મહિલા ફાઉન્‍ડેશન’ના પ્રમુખ તરુણાબેન પટેલની આગેવાની હેઠળ દીવના વણાંકબારા અને સાઉદવાડી ગ્રા.પં.ની સ્‍વસહાય જૂથની મહિલાઓને સિલાઈ મશીનોનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

vartmanpravah

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

vartmanpravah

Leave a Comment