Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અજય દેસાઈ દ્વારા નરોલી રોડ ઉપરના એક ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સી.ઓ.ને કરાયેલી રજૂઆત

સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસીના પરિસરમાં આવેલી વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટના ગેરકાયદે શેડને હટાવવા સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાનહના સેલવાસ-નરોલી રોડ પર આવેલ એક પ્રાઈવેટ રેસ્‍ટોરન્‍ટ દ્વારા ગેરકાયદેસરશેડ બનાવેલ એને હટાવવા માટે નગરપાલિકાના ઉપ પ્રમુખે સ્‍વયં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ-નરોલી રોડ ઉપર ઓઆઈડીસી પરિસરમાં વેલેન્‍ટીનો રેસ્‍ટોરન્‍ટ આવેલ છે. આ રેસ્‍ટોરન્‍ટની સામે પાર્કિંગની કોઈપણ જગ્‍યા નથી અને આ રેસ્‍ટોરન્‍ટમાં ખાણીપીણી માટે આવતા ગ્રાહકો તથા ચીજવસ્‍તુઓના પાર્સલ લેવા આવનારાઓને બેસવા માટે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલ છે. જેના માટે નગરપાલિકામાંથી કોઈપણ જાતની પરમીશન પણ લેવામાં આવેલ નથી, જેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 મુજબ આ રેસ્‍ટોરન્‍ટ પરનો શેડ દૂર કરવામાં આવે. આ ઉપરાંત આ રસ્‍તા ઉપર ઘણી મિલકતો આવેલ છે જેના માટે નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે.
ન.પા.ના ઉપપ્રમુખ શ્રી અજય દેસાઈએ જણાવ્‍યું છે કે, સાથે મારૂં એક નિવેદન છે કે સેલવાસ ‘સ્‍માર્ટ સીટી’ પ્રોજેક્‍ટ અંતર્ગત સમાન આકાર અને સમાન સ્‍તરના દુકાનોની સામે પાંચથી છ ફૂટ કેન્‍ટીલિવર શેડ બનાવવામાં આવે જેથી સગવડતાભર્યું તથા શોભનીય લાગે.
વધુમાં નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ ચીફ ઓફીસરને જણાવ્‍યું હતું કે પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર શેડ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એ સરાહનીય છે.અમે જે રજૂઆત કરી છે એ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ કરૂં છું.

Related posts

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

‘‘શ્રી બદ્રીનાથ ધામમાં આછવણીના પ્રગટેશ્વર ધામ આયોજિત 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ સંપન્ન”

vartmanpravah

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment