July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

39 વર્ષથી પડતર રસ્‍તાનું નિર્માણ સ્‍વયં ગ્રામ લોકોએ પોતાના શ્રમદાનથી કરી પ્રશાસન, સાંસદ, જિલ્લા પંચાયત તથા ગામના સરપંચ સામે પણ બેસાડેલો દાખલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાનહના અંતરિયાળ દુધની ગામના ચોકીપાડા, દેવીપાડા, મેડસિંગી, જૈટી, ટોકરપાડા વગેરેની પ398 જેટલી વસ્‍તીવાળા વિસ્‍તારમાં સ્‍મશાનભૂમિ સુધી જવાના છેલ્લા 39 વર્ષથી પડતર રસ્‍તાનું નિર્માણ સ્‍વયં ગ્રામ લોકોએ પોતાના શ્રમદાનથી કરી સાંસદ, જિલ્લા પંચાયત તથા ગામના સરપંચ સામે પણ દાખલો બેસાડયો છે.
ગામ લોકોએ પોતાના શ્રમદાનનો નિર્ણય કરતા 39 વર્ષ પસાર થયા પરંતુ પ્રશાસન, સાંસદ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત પણ લોકશક્‍તિ સામે પાણી ભરતું હોવાની પ્રતિતિ પણ થઈ છે.
આ વિસ્‍તારના સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર ગામમાં મરણ પ્રસંગે સ્‍મશાનમાં જવા માટે ઘણી જ સમસ્‍યા છે. 1983થી 2022 સુધી હાલ 39 વર્ષ પુરા થવા છતાં પણ દૂધની ચોકીપાડામા આવેલ સ્‍મશાનનો રોડ જે ચારસો મીટર છે તે હજી સુધી બન્‍યો નહી હતો.
આ વિસ્‍તારમા રહેતા લોકોને મરણ પ્રસંગેસ્‍મશાનયાત્રા દરમિયાન તકલીફનો સામનો કરવો પડે છે તે બાબતને ધ્‍યાનમાં લઈને ગ્રામજનો એકજૂથ થઈ એમના ઘરોમાં જે કોઈ સાધનો જેવા કે પાવડા, તગારા, કોદાળી વડે પથ્‍થર, માટી અને રેતી વગેરેથી ડામર રોડ તો નહિ પણ પગવટો કાચો રોડ સમારકામ કરી તૈયાર કરવાનુ કાર્ય કર્યું છે.
આ બાબતે ગામના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા પ્રશાસનના અધિકારીઓને પણ છેલ્લા 39 વર્ષથી વારંવાર રજૂઆતો કરવામા આવી હતી. કોઈએ પણ આ રસ્‍તાનો ઉકેલ નહી લાવતા ‘નહી શાસન પાવર, નહી પ્રશાસન પાવર, ફક્‍ત જનતા પાવર, જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે દૂધની ચોકીપાડા વિસ્‍તારના નાના બાળકો, યુવાઓ, મહિલાઓ, પુરુષો અને વડીલોએ પહેલ કરી એકજૂથ થઈ કાચા રસ્‍તાનું નિર્માણ કરી એક પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય કર્યુ હોવાની લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

vartmanpravah

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે દાનહ, દમણ અને દીવ જી.પં. તથા સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

Leave a Comment