(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14
સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ગત 12 એપ્રિલના રોજ એક કંપનીમા કામ કરતા વ્યક્તિ કે જેનો તૂટેલો અંગુઠા સાથે દાખલ કરવામા આવ્યો હતો.
યુવકનો હાથ મશીનમાં આવી જવાને કારણે એનો અંગુઠો હાથથી છૂટો થઈ ગયો હતો. કંપનીના કર્મચારીઓ ગંભીર ઈજાગ્રસ્ત થયેલ યુવકના અંગુઠાને સાથે લઈને આવ્યા હતા. હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રક્ટિવ સર્જન ડો. ડી.જી.એલ.ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેઓએ તાત્કાલિક તપાસ કરી નક્કી કર્યું હતું કે, આ અંગુઠો હાથ સાથે જોડી શકાય એમ છે. બાદમાં એમણે ડોક્ટરોની ટીમ સાથે ચર્ચા કરી તાત્કાલિક સર્જરી કરી ચાર કલાકની મહેનત બાદ પ્લાસ્ટિક સર્જરીથી ઓપરેશન સફળ થયું હતું. આ ઓપરેશનમાં ડો. જી.એલ.ચૌધરી સાથે એનેસ્થેટિસ્ટ ડો. ચિરાગ પરમાર, ઓપરેશન થિયેટરમાં કામ કરતા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ હતું. આ ઉપલબ્ધિ માટે આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે આ 22 વર્ષીય યુવકના હાથમાંથી અલગ થયેલ અંગુઠાને જોડવામાંસહભાગી બનેદ દરેક સર્જન, એનેસ્થેટિસ્ટ, ચિકિત્સક સ્ટાફ, નર્સ અને ઓપરેશન થિયેટરના દરેક કર્મચારીઓને શાબાશી આપી એમના કામની સરાહના કરી હતી. અને સાથે જણાવ્યું હતું કે દાનહ આરોગ્ય વિભાગ હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓને સારી આરોગ્ય સુવિધા મળે એ માટે હંમેશા તત્પર છે. હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓને સારામાં સારી સુવિધા મળે એજ અમારૂ લક્ષ્ય છે.