Vartman Pravah
Breaking Newsચીખલી

ચીખલીઃ વંકાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનારી કાંટાની ટક્કર

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા બાદ ચિત્ર સ્‍પષ્ટ થતાં 63 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 196 અને વોર્ડ સભ્‍યો માટે 1039 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉભા રહ્યા છેઃ સમગ્ર તાલુકામાં 161 જેટલા વોર્ડ સભ્‍યો બિનહરીફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા. 08: આગામી 19મી ડિસેમ્‍બર, 2021ના રોજ યોજાનારી ચીખલી તાલુકાની 63 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે કુલ 260 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તે પૈકી 64 જેટલાએ ઉમેદવારી પરત ખેંચતા સરપંચો માટે 196 અને વોર્ડ સભ્‍યો માટે 1251 પૈકી 212 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચતા 1039 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. જ્‍યારે સમગ્ર તાલુકામાં 161 જેટલા વોર્ડના ઉમેદવારો બિનહરીફ થવા પામ્‍યા છે.
ચીખલી તાલુકામાં ગોડથલ અને ખરોલીમાં સરપંચ માટે સૌથી વધુ 7-7 જ્‍યારે ખુડવેલ અને માંડવખડકમાં 6-6 ઉમેદવારો ઉભા છે. જ્‍યારે ચરીમાં 4 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તાલુકામાં અનેક ગામોમાં ભાજપ-કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો મેદાનમાં છે અને ખાસ કરીને ભાજપ તરફી વધુ ધસારો જોવા મળી રહ્યો છે. જ્‍યારે વંકાલ ગામે કાંટાની ટક્કરજામવાનું નક્કી છે.
તાલુકાની મલવાડા ગ્રામ પંચાયતમાં સમરસ માટેના પ્રયત્‍નો નિષ્‍ફળ રહ્યા હતા. સરપંચ પદે ટ્‍વિન્‍કલકુમારી શ્રીકુમાર પટેલ અને આઠ વોર્ડ પૈકી સાત વોર્ડના સભ્‍યો બિનહરીફ થયા હતા. પરંતુ એક વોર્ડ માટે પંચ ફસાતા વર્તમાન ઉપ સરપંચ શ્રી પર્વત પટેલે સભ્‍યપદ માટે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવાની અને ચિન્‍હ ફાળવવાની કામગીરી ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

Related posts

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

દાનહ પોલીસે સગીર બાળાને બિહારથી શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment