September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: વર્ષો પૂર્વેના દબાણમાં હજુ માત્ર નોટિસની જ પીપૂડી વગાડવામાં આવી રહી છે ત્‍યારે પ્રાંત અધિકારી દ્વારા માત્ર દેખાડા પૂરતી જ બેઠક કરાતી હોવાનું ફલિત થઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગને અડીને બે અલગ અલગ ધર્મ સમુદાયના ધાર્મિક દબાણ તંત્રના રેકોર્ડ પર આવેલા છે. આ દબાણો દૂર કરવા માટે ઘણા સમયથી પ્રાંત અધિકારી દ્વારા માર્ક મકાન વિભાગના અધિકારીઓ અને બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્‍યું નથી.
પ્રાંત અધિકારી દ્વારા ગતરોજ પણ બેઠક યોજવામાં આવી હતી પરંતુ તેમાં માત્ર એક જ સમુદાયના ચારેક જેટલા આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ દબાણો બે અલગ અલગ ધર્મ સમુદાયના હોય બંનેનાપ્રતિનિધિઓની ઉપસ્‍થિતિ જરૂરી હોવા છતાં એક જ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવતા આવી બેઠકો માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવારની બેઠકો બાદ નોટિસ આપવાથી વાત આગળ વધી શકી નથી. ત્‍યારે આવી બેઠકનો કોઈ મતલબ જણાતો નથી તેવામાં ખરેખર દબાણ કયારે દૂર થશે તે આવનાર સમયમાં જ બતાવશે.

વિકાસના કામોમાં પણ ઘણા સમયથી ખો આપી રહ્યા છે તો આવા અધિકારી શું વિકાસ કરાવશે?
ચીખલીમાં ધાર્મિક દબાણના મુદ્દે પ્રાંત અધિકારી માર્ગ મકાન નોટિસ આપશે તેવું કહી રહ્યા છે જ્‍યારે માર્ગ મકાનના અધિકારી નોટિસ આપી દીધી હોવાનું જણાવી રહ્યા છે અને હકીકતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ આપી પણ હતી પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે અને કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ બગડે તો તે માટે જવાબદાર કોણ? માર્ગ મકાન પર ઢોળી પ્રાંત અધિકારી ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોય તેવી સ્‍થિતિમાં નક્કર પરિણામની આશા ઠગારી નીવડી શકે તેમ છે.

લો બોલો? પ્રાંત અધિકારીને જ ખબર નથી બેઠકમાં કોણ આવ્‍યું હતું તો દબાણો કેવી રીતે દુર થશે?
પ્રાંત અધિકારીના જણાવ્‍યાનુસાર ધાર્મિક દબાણના મુદ્દે ગતરોજ બેઠકયોજવામાં આવી હતી. કોણ કોણ હાજર હતું એ મને મોઢે યાદ નથી પરંતુ આ દબાણો માર્ગ મકાનના તાબામાં હોય માર્ગ મકાન દ્વારા નોટિસ આપવામાં આવશે.

અગાઉ પણ નોટીસ આપી છે : કાર્યપાલક ઈજનેર ભરતભાઈ
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર ધાર્મિક દબાણ કર્તાઓને ત્રણ જેટલી નોટિસ તો આપેલી જ છે. દબાણ ખસેડવા માટે પંદર દિવસનો સમય અપાયો છે. દબાણ ખસેડી નાંખ્‍યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોરલ સપોર્ટ માટે વલસાડ જિલ્લામાંથી નિકળેલા કોંગ્રેસ કાર્યકરોને બગવાડા હાઈવે-કરમબેલામાં પોલીસે અટકાવ્‍યા

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે 10 જેટલા ગુનેગારોને હિસ્‍ટ્રીશીટર ઘોષિત કર્યા

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

vartmanpravah

Leave a Comment