October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નજીક આવતા દીવ પ્રશાસન દ્વારા દરેક મિઠાઈની દુકાનોમાં સઘન તપાસ તથા મિઠાઈ અને ફરસાણના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા. ફુડ ઈન્‍સ્‍પેક્‍ટર રોહિત સોલંકી તથા તેની ટીમ દ્વારા દિવાળી દરમિયાન બનતી મિઠાઈ તથા ફરસાણની તપાસ હેતુ દીવ જિલ્લાની દરેક મિઠાઈની દુકાનોમાં પહોંચી તપાસ કરશે.
આજે દીવ પદ્મભૂષણ કોમ્‍પલેક્ષ નજીક આવેલ રાધે ક્રિષ્‍ના સ્‍વીટ એન્‍ડ નમકીનની દુકાન ખાતે દુકાનદારને પૂછતાછ તથા સેમ્‍પલ લેવાયા. આ સેમ્‍પલ વડોદરા અને સુરત લેબમાં તપાસ અર્થે મોકલાવવામાં આવશે. આ મિઠાઈના કે ફરસાણના રિપોર્ટમાં કાંઈ પણ કચાસ કે ગળબળ જોવા મળશે તો દુકાનદાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

Leave a Comment