March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્દઘાટન : ઉમેદવાર ધવલ પટેલ સહિતના નેતાઓ, કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્‍ય ચૂંટણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉટયો છે. ગામે ગામ પ્રચાર રેલીઓ ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તે દિશામાં ઠેર ઠેર ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો પણ ખોલવામાં આવી રહ્યા છે. વાપીમાં પારડી વિધાનસભા મતવિસ્‍તાર માટેનું ભાજપ દ્વારા મધ્‍યસ્‍થ ચૂંટણી પ્રચાર કાર્યાલયનો શુભ આરંભ કરવામાં આવ્‍યો છે. વૈશાલી ચોકડી હાઈવે ઉપર શરૂ થયેલ મધ્‍યસ્‍થચૂંટણી કાર્યાલયનું રિબિન કાપીને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું હતું.
ચૂંટણી કાર્યાલય માટે યોજાયેલ ઉદ્દઘાટન સમારોહમાં નાણામંત્રી સહિત ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, જિલ્લા મહામંત્રી દેસાઈ, મંડળ સમિતિના સભ્‍યો અને હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી કામગીરી ખાસ વિશેષ હોય છે. જેનું સંકલન કરવા માટે પ્રચારની વ્‍યહરચના અને મતદારોની યાદી વાઈસ વિસ્‍તારોમાં સ્‍લીપ વહેંચવા જેવી કામગીરીનું માળખુ આપણે આ મધ્‍યસ્‍થ કાર્યાલયથી કરવાનું છે. કાર્યાલયના પ્રારંભ થકી કાર્યકરોમાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળ્‍યો હતો.

Related posts

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

હાઈવે ધરમપુર ચોકડી પરથી ફિલ્‍મી ઢબે પીછો કરી પોલીસે 100 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍થો ભરેલી કાર ઝડપી

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

Leave a Comment