July 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણના નામે વેપાર કરી લુંટ ચલાવાઈ રહી છે. શિક્ષણ વિભાગની લાપરવાહી અને સાઠગાંઠ દ્વારા પ્રદેશની કેટલીક ખાનગી શાળાઓમાં વાલીઓને જબરદસ્‍તીથી પસંદગીની દુકાનોમાંથી અથવા તો શાળામાંથી જ પુસ્‍તકો, નોટબુકો, શિક્ષણ સામગ્રી તેઓની મરજીના ભાવે ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ માટેના સ્‍કૂલ ગણવેશ, બૂટ, મોજાં, સ્‍કૂલબેગ, ટેક્‍સબુક, નોટબુક સહિત અન્‍ય ચીજવસ્‍તુ શાળા સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવોથી જ ખરીદવા માટે મજબુર કરાઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
પ્રદેશની ખાનગી શાળા સંચાલકોએ પોતાના હિસાબે જ બનાવ્‍યા છે શિક્ષણના કાયદા
પ્રદેશની વધુમાં વધુ ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણના નામ પર પોતાની દુકાનો ચલાવતા પોતપોતાના હિસાબે શિક્ષણ ગ્રહણ કરવાના નિયમોઅને કાયદા બનાવ્‍યા છે. જાણે કે, એમના ઉપર સંઘપ્રદેશનું શિક્ષણ વિભાગ મહેરબાન છે, આ હકીકત છે કે એકલ દોકલ ખાનગી શાળા છોડી દરેક શાળાઓ પોતપોતાના નીતિ-નિયમ પ્રમાણે શિક્ષણ વ્‍યવસ્‍થાના નામ પર કાયદા બનાવ્‍યા છે અને એજ કાયદાનું પાલન કરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. કેટલીક શાળાઓએ કોરોના મહામારી સમયે પણ પોતાની મનમાની ચલાવી વાલીઓના ઘાવ ઉપર મીઠું(નમક) ભભરાવ્‍યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

Leave a Comment