(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.24
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજરોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દીવની ઝોલાવાડી, બુચરવાડા, સાઉદવાડી તથા વણાંકબારા ગ્રામ પંચાયતોમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચાયતી રાજ સંદર્ભે દીવની ચારેય ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જમ્મુથી જીવંત પ્રસારણ ગ્રામજનોને દેખાડવામાં આવ્યુ હતું. પંચાયતી રાજની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી અને લોકોને સંબોધિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સર્વાંગી વિકાસનીની ચર્ચા કવામાં આવી તેમજ હર ઘર જલ, ગામનું વ્યવસ્થિત માળખુ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)રોજગાર?, આત્મનિર્ભર વિષય ઉપર ગ્રામસભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરેક ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રીશ્રી નો જન્મું કાશ્મીરથી દૂરદર્શનના માધ્યમથી જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું હતું. આજના આ કાર્યક્રમ દરમિયાન સવારે 11 કલાકે મન કી બાત કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણલોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે ચારેય ગ્રામ પંચાયતોના સરપંચો, મંત્રીઓ, સભ્યો આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.