April 17, 2026
Vartman Pravah
Other

સંદર્ભઃ દીવ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્‍ચે………………… દીવના સર્વાંગી અને સમતોલ વિકાસને જાળવી રાખવા કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ જરૂરી

સ્‍માર્ટ સીટી બનેલા દીવને વૈશ્વિક પ્રવાસન નકશામાં પણ મળેલું સ્‍થાનઃ દીવના ઝળહળી રહેલા દીપકને કોઈ અસર નહીં થાય તેની તકેદારી લોકોએ લેવી પડશે

દીવ નગરપાલિકાની ચૂંટણી આડે હવે લગભગ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીદૃષ્‍ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સ્‍માર્ટ સીટી યોજનામાં દીવને સ્‍થાન મળ્‍યું છે. દીવ એક ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ખુબ જ નાનો જિલ્લો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશનો વહીવટ સીધો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત હોવાથી દીવ નગરપાલિકામાં શાસન વ્‍યવસ્‍થા કેન્‍દ્ર સરકાર અને સ્‍થાનિક પ્રશાસન માટે પણ અનુラકૂળ હોવી ઘણી જરૂરી બને છે. કારણ કે, લોકતંત્રમાં ડબ્‍બલ એન્‍જિન સાથેની સરકાર હોય તો દરેક વિકાસ કામોમાં તિવ્ર ગતિથી કામ કરવાની પણ સાનુラકૂળતા રહેતી હોય છે.
મોદી સરકારે દીવના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે કોઈ કસરબાકી રાખી નથી. નગરપાલિકાની ચૂંટણી દ્વારા કોઈ જનાધાર નક્કી નથી થતો. કારણ કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં પોતાના વોર્ડના ઉમેદવારોના ગમા-અણગમાને ધ્‍યાનમાં રાખીને મતદાન થતું હોય છે. તેથી આ ચૂંટણીઓમાં પક્ષીય રાજકારણ હાંસિયામાં રહે છે અને મુખ્‍યત્‍વે ઉમેદવારની લોકપ્રિયતા તથા તેમની સ્‍થાનિક ગતિવિધિ ઉપર વિજયનો આધાર રહેતો હોય છે. તેથી દીવના સર્વાંગી અને સમતોલ વિકાસની ગતિને જાળવી રાખવા માટે કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ રાખવો ખુબ જરૂરી બને છે.
સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી ઉમેદવારોની ભરમાર રહેવાની છે. કારણ કે ભૂતકાળમાં કેટલાક કાઉન્‍સિલરોએ નગરપાલિકાને પોતાની પ્રાઈવેટ પેઢી તરીકે ચલાવી હતી. હવે સમય બદલાયો છે. નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્‍સિલરો પણ ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદાના પરિઘમાં આવી ચુકેલા છે. એક તરફ દીવ નગરપાલિકા વિકાસ તરફ અગ્રેસર બનેલી છે અને દીવ સ્‍માર્ટ સીટી બનવાથી પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે ત્‍યારે ચૂંટણીની પળોજણમાં ઝળહળી રહેલા દીવના દીપકને કોઈ અસર નહીં થાય તેની કાળજી અને તકેદારી દીવના લોકોએ લેવી પડશે.

સોમવારનું સત્‍ય
દીવ નગરપાલિકાને સમરસ બનાવી ચૂંટણી ખર્ચ અને અરસ-પરસની દુશ્‍મનીમાંથી બચાવી સમગ્રદેશને એક સંદેશ નહીં આપી શકીએ? દીવના જાગૃત નાગરિકોએ વિચારવા જેવું છે.

Related posts

દાનહના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં લખાયેલ પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્‍હીમાં વિમોચન કરાયું

vartmanpravah

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

સાંસદ બન્‍યા બાદ માત્ર 15 દિવસમાં પોતાનો પાવર બતાવવાનો વાયદો કરનાર ઉમેશભાઈ પટેલ પાંચ મહિના થવા છતાં પણ એક કામ નહીં કરી શકતા હતાશ થતાં છેવટે પોતાની નિષ્‍ફળતા ઢાંકવા સરપંચો, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાને દોષિત ઠેરવવાનો બાલીશપ્રયાસ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ રઘવાયા કેમ બની રહ્યા છે..?

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોમેન્‍ટ લીમીટેડ (સી.ઈ.ટી.પી ) વાપીને રપ – વર્ષ પૂરા થયા જે અંતર્ગત કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં કર્મચારીઓને પ્રોત્‍સાહન અને મોમેન્‍ટો વિતરણ સમારોહમાં વી.જી.ઈ.એલ ડાયરેકટર અને વી.આઈ.એના માજી પ્રમુખ શ્રી યોગેશભાઈ કાબરીયા વીઆઈ એ સેક્રેટરી અને વાપી ભાજપા પ્રમુખ શ્રી સતિષ પટેલ, વીઆઈએ માજી પ્રમુખ શ્રી પ્રકાશ ભદ્વા, શ્રી રાજુલભાઈ શાહ, વી.જી.ઈ.એલ સીઈઓ જતીન મહેતા હાજર રહી સ્‍ટાફ અને કર્મચારીને પ્રોત્‍સાહીત કર્યા હતા.

vartmanpravah

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

Leave a Comment