Vartman Pravah
Other

સંદર્ભઃ દીવ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્‍ચે………………… દીવના સર્વાંગી અને સમતોલ વિકાસને જાળવી રાખવા કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ જરૂરી

સ્‍માર્ટ સીટી બનેલા દીવને વૈશ્વિક પ્રવાસન નકશામાં પણ મળેલું સ્‍થાનઃ દીવના ઝળહળી રહેલા દીપકને કોઈ અસર નહીં થાય તેની તકેદારી લોકોએ લેવી પડશે

દીવ નગરપાલિકાની ચૂંટણી આડે હવે લગભગ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અમીદૃષ્‍ટિ અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોના કારણે સ્‍માર્ટ સીટી યોજનામાં દીવને સ્‍થાન મળ્‍યું છે. દીવ એક ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશનો ખુબ જ નાનો જિલ્લો છે. કેન્‍દ્ર શાસિત પ્રદેશનો વહીવટ સીધો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત હોવાથી દીવ નગરપાલિકામાં શાસન વ્‍યવસ્‍થા કેન્‍દ્ર સરકાર અને સ્‍થાનિક પ્રશાસન માટે પણ અનુラકૂળ હોવી ઘણી જરૂરી બને છે. કારણ કે, લોકતંત્રમાં ડબ્‍બલ એન્‍જિન સાથેની સરકાર હોય તો દરેક વિકાસ કામોમાં તિવ્ર ગતિથી કામ કરવાની પણ સાનુラકૂળતા રહેતી હોય છે.
મોદી સરકારે દીવના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે કોઈ કસરબાકી રાખી નથી. નગરપાલિકાની ચૂંટણી દ્વારા કોઈ જનાધાર નક્કી નથી થતો. કારણ કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં પોતાના વોર્ડના ઉમેદવારોના ગમા-અણગમાને ધ્‍યાનમાં રાખીને મતદાન થતું હોય છે. તેથી આ ચૂંટણીઓમાં પક્ષીય રાજકારણ હાંસિયામાં રહે છે અને મુખ્‍યત્‍વે ઉમેદવારની લોકપ્રિયતા તથા તેમની સ્‍થાનિક ગતિવિધિ ઉપર વિજયનો આધાર રહેતો હોય છે. તેથી દીવના સર્વાંગી અને સમતોલ વિકાસની ગતિને જાળવી રાખવા માટે કેન્‍દ્રની સરકાર સાથે તાલમેલ રાખવો ખુબ જરૂરી બને છે.
સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં ઘણાં મહત્ત્વાકાંક્ષી ઉમેદવારોની ભરમાર રહેવાની છે. કારણ કે ભૂતકાળમાં કેટલાક કાઉન્‍સિલરોએ નગરપાલિકાને પોતાની પ્રાઈવેટ પેઢી તરીકે ચલાવી હતી. હવે સમય બદલાયો છે. નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કાઉન્‍સિલરો પણ ભ્રષ્‍ટાચાર વિરોધી કાયદાના પરિઘમાં આવી ચુકેલા છે. એક તરફ દીવ નગરપાલિકા વિકાસ તરફ અગ્રેસર બનેલી છે અને દીવ સ્‍માર્ટ સીટી બનવાથી પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે ત્‍યારે ચૂંટણીની પળોજણમાં ઝળહળી રહેલા દીવના દીપકને કોઈ અસર નહીં થાય તેની કાળજી અને તકેદારી દીવના લોકોએ લેવી પડશે.

સોમવારનું સત્‍ય
દીવ નગરપાલિકાને સમરસ બનાવી ચૂંટણી ખર્ચ અને અરસ-પરસની દુશ્‍મનીમાંથી બચાવી સમગ્રદેશને એક સંદેશ નહીં આપી શકીએ? દીવના જાગૃત નાગરિકોએ વિચારવા જેવું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

પ્રદેશ અધ્‍યક્ષ મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં દાનહ કોંગ્રેસના બ્‍લોક લેવલ સહાયક કાર્યશાળામાં મતદારો સાથે રાખવાના સંબંધની આપવામાં આવેલી વિસ્‍તૃત જાણકારી

vartmanpravah

Leave a Comment