October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટ

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

સુરત

મનપા ઉધના ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોર્પોરેટરો બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક જુથ ગેરકાયદે બાંધકામની ભલામણ કરે તે સાંભળવામાં આવે તેવી માગણી કરી રહ્યું છે તો બીજું ગ્રુપ ગેરકાયદે બાંધકામ થાય જ નહીં અને થાય તો પહેલા તબક્કામાં જ દુર કરી દેવામાં આવે તેવી માગણી કરી રહ્યું છે. સાથે સાથે ઉધના ઝોનના કેટલાક કર્મચારીઓ મીલી ભગત માં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં હોય તેમની સામે પણ ફરિયાદ ઉઠી છે. આવા કર્મચારીઓ સામે પણ પગલાં ભરવા જાેઇએ તેવી માગણી થઈ રહી છે.

મનપાના તમામ ઝોનમાં રાજકારણ અને કર્મચારીઓની મીલી ભગતમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. ઉધના ઝોનમાં પણ આ પ્રકારના અનેક ગેરકાયદે બાંધકામ થયા છે તેની સામે હાલમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ડિમોલીશનની કામગીરી દરમિયાન કેટલાક કોર્પોરેટરો ગેરકાયદે બાંધકામ બચાવવા માટે ભલામણ કરી રહ્યાં છે. કોર્પોરેટરોની આ ભલામણ કેટલાક અધિકારીઓ સાંભળતા નથી અને ભલામણવાળા બાંધકામનું પહેલા ડિમોલીશન કરી દે છે તે મુદ્દે કેટલાક કોર્પોરેટરો અકળાયા હતા અને મેયર ને રજુઆત કરી હતી. જેના કારણે વિવાદ ઉભો થયો છે.

જાેકે, આ મુદ્દે કોર્પોરેટરો બે જુથમાં વહેચાઈ ગયાં છે એક જુથ રહેણાંક વિસ્તારમાં નાના બાંધકામ થયા હોય તેને યથાવત રાખવામાં આવે તેવી ભલામણ કરે છે તો બીજું જુથ એવું છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે આ ગેરકાયદે બાંધકામ ઝોનના કેટલાક કર્મચારીઓ મીલી ભગતમાં જ થાય છે અને ત્યાર બાદ ડિમોલેશન થતાં લોકો કોર્પોરટર પાસે આવે છે અને ભલામણ કરવી પડે છે. જે કર્મચારીઓની મીલી ભગત માં બાંધકામ થતાં હોય તેની જવાબદારી નક્કી કરીને તેમની સામે પગલાં ભરવા જાેઈએ. આટલું જ નહીં પરંતુ ગેરકાયદે બાંધકામ શરૂ થાય ત્યારે જ તેને દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મનપાના કેટલાક અધિકારીઓ ગેરકાયદે બાંધકામ સામે આક્રમક બનતા હવે કોર્પોરેટરો પણ બચાવમાં આવી ગયાં છે અને ગેરકાયદે બાંધકામ નહી થવા દેવા જાેઈએ તેવી વાત કરતા થયાં છે. જાેકે, આ ગેરકાયદે બાંધકામ વખતે કોની ભલામણ છે તે વાત કર્મચારીઓ જાહેર કરે કે ક્યા કર્મચારીએ વહેવાર લીધો છે તે કોર્પોરેટરો જાહેર કરે તો ગેરકાયદે બાંધકામની સમસ્યાનો હલ થઈ શકે તેમ છે.

Related posts

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ખેતીવાડી વિભાગના એક અધિકારીના મેળાપીપણામાં ચીખલીમાં ચોપડે ખેડૂતોના નામે ઉધારી સબસીડીયુક્‍ત યુરિયા ખાતરનું મોટાપાયે વાપી, સેલવાસ, બીલીમોરા, દમણ સહિતના ઔદ્યોગિક વિસ્‍તારમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ઉઠેલી ફરિયાદ

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment