October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

  • માહ્યાવંશી સમાજના પનોતા પુત્ર કેપ્‍ટન અમૃત માણેકને આંતરરાષ્‍ટ્રીય નેલ્‍સન મંડેલા નોબલ પીસ એવોર્ડ, મહારાજા હરી સિંઘ ડોગરા પુરસ્‍કાર અને ઓસ્‍ટ્રેલિયાની સંત મધર ટેરેસા યુનિવર્સિટી દ્વારા ડોક્‍ટરેટ પીએચડીની પદવીથી સન્‍માનિત કરાયા

  • મુંબઈ હવાઈ મથક નજીક આવેલ ફાઈવ સ્‍ટાર હોટલ સહારા ખાતે યોજાયેલા ભવ્‍ય આંતરરાષ્‍ટ્રીય કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની રહેલી હાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
માહ્યાવંશી વિકાસ મંચના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ટ્રસ્‍ટી અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી કેપ્‍ટન અમૃતલાલ ડી.માણેકને મુંબઈ હવાઈ મથક નજીક આવેલ ફાઈવ સ્‍ટાર હોટલ સહારા ખાતે નેલ્‍સન મંડેલા નોબલ પીસ એવોર્ડ,જમ્‍મુ અને કાશ્‍મિરના સ્‍વ. રાજા મહારાજા હરી સિંઘ ડોગરા પારિતોષિક અને ઓસ્‍ટ્રેલિયાની સંત મધર ટેરેસાની યુનિવર્સિટી દ્વારા ડોક્‍ટરેટ પીએચડીની પદવીથી સન્‍માનિત કરાતા સમગ્ર સમાજમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી ફેલાઈ જવા પામી હતી.
હોટલ સહારા ખાતે આયોજીત ઈનામ વિતરણ અને સન્‍માન સમારંભમાં રાષ્‍ટ્રીય અને આંતર રાષ્‍ટ્રીય ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા ધરાવતા 500 જેટલા રાજકીયસામાજિક, ઉદ્યોગપતિ તેમજ ફિલ્‍મ તથા ટીવી જગતના મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહી હતી. આ સમારંભમાં કેપ્‍ટન અમૃત માણેકને પારિતોષિક એનાયતના સમયે સભાખંડમાં માહ્યાવંશી સમાજનું નામ ગુંજતા હવે માહ્યવંશી સમાજને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પણ એક નવી ઓળખ મળી હોવાની પુષ્‍ટી થઈ હતી.
આ પ્રસંગે યુનાઈટેડ આરબ અમિરાતના રૂરલ અમમ અલ ક્‍વાઈન હિઝ હાઈનેઝ શેખ મજીદ બિન રસીદ અલમુલ્લા, રાજ્‍યસભાના સાંસદ શ્રી છત્રપતિ સંભાજી રાજે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના બંધુ અને બિઝનેસ મેન શ્રી પ્રહલાદભાઈ મોદી, સુપ્રસિદ્ધ લોકપ્રિય ગાયિકા અનુરાધા પોડવાલ, ડો.રૂપલ મહેતા, મિસિસ ઈન્‍ડિયા 2018, મિસિસ ઈન્‍ડિયા યુનિવર્સલ-ર019, અભિનેત્રી અમિષા પટેલ, સીબીઆઈના નિવૃત્ત ડિએસપી શ્રી જયશ્રી રાવ, દુબઈના ઉદ્યોગપતિ ડો.અબ્‍દુલ્લા સહિત આગેવાનોની ઉપસ્‍થિતિમાં માણેકપોરના માહ્યાવંશી દિકરા કેપ્‍ટન અમૃત માણેકને સન્‍માનિત કરાયા હતા. ત્‍યારે વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબ સમાજને શિક્ષણને પોતાનું હથિયાર બનાવવા આપેલી શિખામણ સાર્થક થતાં નજરે પડી હતી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

ભારત સરકારના કલા ઉત્‍સવ કાર્યક્રમમાં અભિષેક શાહે રાષ્‍ટ્રીય સ્‍તરે શાસ્ત્રીય ગાયન કૃતિ રજૂ દીવનું વધારેલું ગૌરવ

vartmanpravah

Leave a Comment