March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય ડોકમર્ડીખાતે રોવર રેંજર સભ્‍ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્‍થિતિમાં ફેલોશિપ સભ્‍ય આનંદ કે.ના નેતૃત્‍વમાં ‘આંતરરાષ્‍ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સેમિનાર યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ આજના યુવાઓમાં શાંતિ માટે જાગરૂકતા લાવવા અને યુવા પેઢીને તેમના કાર્યો પ્રત્‍યે સજાગ કરવાનો હતો કે શાંતિ ક્‍યાં મળે છે અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય છે.
આ પ્રસંગે રોવર રેંજર શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડની સેવા અને કાર્યકલાપોને મેસેન્‍જર ઓફ પીસ સાઈટ પર કઈ રીતે અપલોડ કરીને 100 કલાક સેવા કાર્ય પૂર્ણ થવા પર આંતરરાષ્‍ટ્રીય મુખ્‍યાલયથી રિંગ બેઝની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તેને વિધિવત વિસ્‍તારથી બતાવાયું હતું. સાથે જ ટીમનું કાર્ય સંચાલન અને સમાપનની વિધિ વિસ્‍તારથી રમત દ્વારા દર્શાવાઈ હતી. જેના દ્વારા એ બતાવાયું કે ટીમના નેતૃત્‍વ પર ધ્‍યાન આકર્ષિત કરીને તમે કોઈપણ પ્રોજેક્‍ટ કાલે સફળતાપૂર્વક સંપન્ન કરી શકો છો, જ્‍યારે તમારૂં લક્ષ્ય પાકું હોવું અનિવાર્ય છે નહીંતર તમે સફળ થઈ શકો નહીં.
સેમિનારમાં તમામ ભાગીદારોમાં સેવા ભાવના પ્રત્‍યે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી સાથે જ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈના સક્રિય અને હંમેશા સહયોગી સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર સભ્‍ય શ્રીઅનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા અજય હરિજન, રિયા સિંહ, અર્પિતા યાદવ, અમિતા યાદવ, અંજલી પ્રસાદ, અદિતિ સિંહ, રોશની પ્રસાદ અને હેમાંગી સૂર્યવંશીની 2021-‘22 માટે ઉત્તમ સેવા ભાવના માટે સરાહના કરવામાં આવી હતી.

Related posts

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિણામમાં રોણવેલની આશા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીની એ-1માં ઝળકી

vartmanpravah

રાજ્યના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ વિતરણ અને કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment