April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણઃ કચીગામ ગ્રા.પં. દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માંગેલવાડની ટીમ ચેમ્‍પિયન

  • કચીગામ ગ્રામ પંચાયતના વિવિધ વોર્ડ અને ફળિયાની કુલ રપ ટીમોએ લીધેલો ભાગ : રનર્સ અપ બનેલી ડુંગરી ફળિયાની ટીમ

  • સરપંચ ભરતભાઈ પટેલે પોતાની પંચાયતમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વિક્‍સિત કરવા માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
દમણની કચીગામ ગ્રામ પંચાયત દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં માંગેલવાડની ટીમ વિજેતા બની હતી. જ્‍યારે રનર્સ અપ તરીકે ડુંગરી ફળિયાની ટીમ રહી હતી. આ ટૂર્નામેન્‍ટમાં કચીગામની જુદી જુદીરપ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.
કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા પોતાની પંચાયતમાં ખેલદિલી અને ભાઈચારાની ભાવના વિક્‍સિત કરવા માટે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું હતું. જેમાં કચીગામ વિસ્‍તારના દરેક વોર્ડ અને ફળિયા મળી કુલ 25 ટીમોએ ભાગ લઈ પોતાની રમતનું પ્રદર્શન કર્યુ હતું.
આજે રમાયેલી ફાઈનલ મેચમાં ડુંગરી ફળિયા અને માંગેલવાડની ટીમ વચ્‍ચે મુકાબલો થયો હતો. જેમાં માંગેલવાડની ટીમ વિજેતા બની હતી. આ પ્રસંગે આયોજીત ઈનામ વિતરણ સમારંભમાં સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, જિ.પં.સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી તથા પંચાયત સભ્‍યોએ ઉપસ્‍થિત રહી ખેલાડીઓનો હોંસલો પણ વધાર્યો હતો.
આ પ્રસંગે ‘વર્તમાન પ્રવાહ’ સાથે વાતચીત કરતા કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ક્રિકેટની રમતથી યુવાનોમાં જુસ્‍સો અને સ્‍પર્ધાની ભાવના કેળવાઈ છે અને સંઘ શક્‍તિ દ્વારા તેઓ પોતાનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરે છે. આવતા દિવસોમાં પણ કચીગામ ગ્રામ પંચાયત દ્વારા યુવાનોની પ્રતિભા વિકસે એ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Related posts

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment