Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી જ્ઞાનધામ સ્‍કૂલમાં રવિવારે સાંજના ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગ ભારતીના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત એક પ્રમુખ બલવંતરાય પ્રજાપતિની આગેવાની હેઠળ જ્ઞાનધામ સ્‍કૂલમાં નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં લઘુ ઉદ્યોગ ભારતીનું ઉદ્યોગ પ્રતિનિધિઓનું સંમેલન રવિવારે યોજાયું હતું. આ પ્રસંગે નાણાંમંત્રીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગ એ અર્થતંત્રનું કરોડરજ્જુ છે. સરકાર લઘુઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા કટીબધ્‍ધ છે. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ બલવંતરાય પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગપતિઓ અફસરશાહીનો ભોગ બનતા રહ્યા છે. તેથી 29 વર્ષથી આ સંગઠનની સ્‍થાપના કરાઈ છે. જે લઘુ ઉદ્યોગકારોના હક્ક માટે તેમજ સરકારી વિભાગોની કનડગત માટે સદૈવ કાર્ય કરી રહેલ છે. દેશભરમાં 900 ઉપરાંત ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત વાપીના ઉદ્યોગકારો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

Leave a Comment