Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંમેલનમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી જ્ઞાનધામ સ્‍કૂલમાં રવિવારે સાંજના ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીનું સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્‍યભરના લઘુ ઉદ્યોગ ભારતીના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત એક પ્રમુખ બલવંતરાય પ્રજાપતિની આગેવાની હેઠળ જ્ઞાનધામ સ્‍કૂલમાં નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં લઘુ ઉદ્યોગ ભારતીનું ઉદ્યોગ પ્રતિનિધિઓનું સંમેલન રવિવારે યોજાયું હતું. આ પ્રસંગે નાણાંમંત્રીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગ એ અર્થતંત્રનું કરોડરજ્જુ છે. સરકાર લઘુઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા કટીબધ્‍ધ છે. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ બલવંતરાય પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, લઘુ ઉદ્યોગપતિઓ અફસરશાહીનો ભોગ બનતા રહ્યા છે. તેથી 29 વર્ષથી આ સંગઠનની સ્‍થાપના કરાઈ છે. જે લઘુ ઉદ્યોગકારોના હક્ક માટે તેમજ સરકારી વિભાગોની કનડગત માટે સદૈવ કાર્ય કરી રહેલ છે. દેશભરમાં 900 ઉપરાંત ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ સહિત વાપીના ઉદ્યોગકારો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

Leave a Comment