April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

વલસાડ તા.૨૦ઃ મહિલા સામખ્ય વલસાડ, શિક્ષણ વિભાગ, દ્વારા મારી વ્યથા મને માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આજના યંત્રવત યુગમાં દરેક વ્યકિત માનસિક રીતે તકલીફમાં હોય તેના કારણે સમાજમાં તણાવ વધવાની સાથે અપમૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. યોગ્ય માર્ગદર્શન થકી તેઓના પ્રશ્નોનો ઉકેલ મળી શકે, એક સશકત સમાજનું નિર્માણ થાય, તણાવ મુકત રીતે જીવન જીવી શકે તે માટે આવી જ મનો વ્યથાને લઈ આ વર્કશોપનું આયોજન કરાયું હતું.

આ વર્કશોપમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના મનોચિકિત્સક ડો. મૈત્રી દેસાઈ ઘ્વારા માહિતી તથા ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. સાથે સાથે હોસ્પિટલની મુલાકાત કરી તેની સુવિધાઓ તથા સેવાઓ બાબતે સ્ટાફ દ્વારા ખુબ ઝીણવટથી માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ધરમપુર, કપરાડા તથા પારડી તાલુકા બહેનો સહભાગી થયા હતા. વર્કશોપને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય વલસાડની ટીમે જહેમત ઉઠાવી હતી.

Related posts

દાનહના પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે જન સુનાવણી કરાઈ

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment