June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

વલસાડ તા.૨૦ઃ મહિલા સામખ્ય વલસાડ, શિક્ષણ વિભાગ, દ્વારા મારી વ્યથા મને માર્ગદર્શન એક દિવસીય વર્કશોપ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુર ખાતે યોજવામાં આવ્યો હતો. આજના યંત્રવત યુગમાં દરેક વ્યકિત માનસિક રીતે તકલીફમાં હોય તેના કારણે સમાજમાં તણાવ વધવાની સાથે અપમૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે. યોગ્ય માર્ગદર્શન થકી તેઓના પ્રશ્નોનો ઉકેલ મળી શકે, એક સશકત સમાજનું નિર્માણ થાય, તણાવ મુકત રીતે જીવન જીવી શકે તે માટે આવી જ મનો વ્યથાને લઈ આ વર્કશોપનું આયોજન કરાયું હતું.

આ વર્કશોપમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના મનોચિકિત્સક ડો. મૈત્રી દેસાઈ ઘ્વારા માહિતી તથા ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું. સાથે સાથે હોસ્પિટલની મુલાકાત કરી તેની સુવિધાઓ તથા સેવાઓ બાબતે સ્ટાફ દ્વારા ખુબ ઝીણવટથી માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ધરમપુર, કપરાડા તથા પારડી તાલુકા બહેનો સહભાગી થયા હતા. વર્કશોપને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય વલસાડની ટીમે જહેમત ઉઠાવી હતી.

Related posts

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલવાડા ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ શાળાની બિલ્‍ડીંગ અને હોલનું કરેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment