વલસાડ, તા.૨૩: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ, જીવનજીપાડા, ખાતે રહેતી તેમજ મૂળ રહે. જુમેદા, થાના-નંદુરભાઇ, તા.જિ.નંદરભાઇની સોનલબેન પુરલીકભાઇ પાટીલ તા.૧૪/૫/૨૦૨૨ના રોજ બપોરે ૩-૩૦ કલાકે ભિલાડથી કોઇને કંઇપણ કહયા વગર જતી રહી છે, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારીની ઉંમર ૧૯ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ, રંગે ધઉંવર્ણ, મધ્યમ બાંધો, શરીરે પીળા કલરની કુર્તી તથા કાળા કલરની લેગીસ અને વાદળી કલરના ચંપલ પહેર્યા છે. જે હિન્દી તથા મરાઠી ભાષા બોલે છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous post
Next Post