July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : આજે દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી વિજેતા બનેલા સાંસદ શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે લોકસભામાં સાંસદ પદના શપથ લીધા હતા. શ્રીમતી કલાબેન ડેલકરની સાંસદ તરીકેની આ બીજી ટર્મ છે.
નવેમ્‍બર, 2021માં દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી કલાબેન ડેલકરે શિવસેના તરફથી દાવેદારી કરી ઝળહળતો વિજય મેળવ્‍યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં શિવસેના સાથે છેડો ફાડી શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના બેનર હેઠળ દાદરા નગર હવેલી બેઠક ઉપરથી વિજયી થઈ લોકસભામાં પ્રવેશ કર્યો છે.
શ્રીમતી કલાબેન ડેલકરે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ત્રીજો કાર્યકાળ 140 કરોડ દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોથી સભર બન્‍યો છે ત્‍યારે તેમની પરિપૂર્તિમાં સહભાગીતા કરવા હંમેશા કટિબધ્‍ધ રહેવાનો સંકલ્‍પ પણ પ્રગટ કર્યો છે.

Related posts

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

Leave a Comment