March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

માછીમારોને દરિયો નહીં ખેડવા સુચનો અપાયા : તા.28, 29, 30 વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27
આજે શુક્રવારે હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લાનો દરિયો તોફાની બન્‍યો હતો. 60 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાતા જિલ્લાના કાંઠા વિસ્‍તારને એલર્ટ જાહેર કરાયો હતો. તેમજ માછીમારોને કલેક્‍ટર દ્વારા દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અલગ અલગ જગ્‍યાએ પડયો હતો.સામાન્‍ય રીતે 1 જુન આસપાસ કેરળમાં ચોમાસુ પહોંચે છે અને દક્ષિણ ગુજરાતમાં 15 જુન પછી એવરેજ ચોમાસુ શરૂ થતુ હોય છે પરંતુ હાલના સમયમાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો છે તેથી સદાય કરતા વહેલુ ચોમાસુ બેસવાનો અણસારો વર્તાઈ રહ્યો છે. ફિસરિઝ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ તા.30 સુધી દરિયો નહી ખેડવાની સુચના અપાઈ છે. હાલમાં અચાનક અરબી સમુદ્રમાં તોફાન અને પવનો ફુંકાવા આજે ચાલુ થયા હતા. તિથલ સહિતના દરિયા કિનારે પર્યટકોને નહી જવાની પણ સુચના વહીવટી તંત્રએ જારી કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment