April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

માછીમારોને દરિયો નહીં ખેડવા સુચનો અપાયા : તા.28, 29, 30 વરસાદની આગાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27
આજે શુક્રવારે હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લાનો દરિયો તોફાની બન્‍યો હતો. 60 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાતા જિલ્લાના કાંઠા વિસ્‍તારને એલર્ટ જાહેર કરાયો હતો. તેમજ માછીમારોને કલેક્‍ટર દ્વારા દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અલગ અલગ જગ્‍યાએ પડયો હતો.સામાન્‍ય રીતે 1 જુન આસપાસ કેરળમાં ચોમાસુ પહોંચે છે અને દક્ષિણ ગુજરાતમાં 15 જુન પછી એવરેજ ચોમાસુ શરૂ થતુ હોય છે પરંતુ હાલના સમયમાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો છે તેથી સદાય કરતા વહેલુ ચોમાસુ બેસવાનો અણસારો વર્તાઈ રહ્યો છે. ફિસરિઝ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ તા.30 સુધી દરિયો નહી ખેડવાની સુચના અપાઈ છે. હાલમાં અચાનક અરબી સમુદ્રમાં તોફાન અને પવનો ફુંકાવા આજે ચાલુ થયા હતા. તિથલ સહિતના દરિયા કિનારે પર્યટકોને નહી જવાની પણ સુચના વહીવટી તંત્રએ જારી કરી હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment