January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

ભીલાડ ખાતે સરપંચ સંઘના પ્રમુખ નરેન્‍દ્ર નાયકના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી સરપંચોની બેઠકમાં છેલ્લા 10 વર્ષથી સાંસદની ગ્રાન્‍ટ ઉમરગામ તાલુકાને ફાળવવામાં ન આવતા હોવાનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને જોવા મળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: આજરોજ ભીલાડ ખાતે ઉમરગામ તાલુકાના સરપંચ સંઘની મળેલી બેઠકમાં વલસાડ ડાંગ સાંસદ ડો.કે. સી. પટેલનીઉમરગામ તાલુકા પ્રત્‍યે ઓરમાયું વલણ રાખવાની નીતિની ભારે ટીકા થવા પામી હતી. સરપંચ સંઘના પ્રમુખ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના વિશ્વાસુ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક તેમજ ધોડીપાડાના સરપંચ વિજયભાઈ રમણભાઈ પાટકરની હાજરી વચ્‍ચે માંડાના સરપંચ શ્રી પ્રભુભાઈ ઠાકરીયા સહિત ઉપસ્‍થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલની ઉમરગામ તાલુકા પ્રત્‍યે છેલ્લા દસ વર્ષથી અપનાવેલી ગ્રાન્‍ટ ન આપવાની નીતિનો મુદ્દો રજૂ થવા પામ્‍યો હતો. ઉપસ્‍થિત તમામ સરપંચોએ સાંસદ ડો. કે. સી. પટેલ આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદારો સમક્ષ જાવા માટે સરપંચોને આગ્રહ ન કરે એવો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. હવે નજીકના ભવિષ્‍યમાં લોકસભાની ચૂંટણી આવવાની હોય સામે આવેલો સાંસદ ડો.કે.સી.નો મુદ્દો આગામી ચૂંટણીમાં બેઠક ફાળવણી માટે રણનીતિનો એક ભાગ હોવાનું પણ આંકલન થઈ રહ્યું છે.
સરપંચ સંઘની બેઠકમાં આ ઉપરાંત પાયાની સુવિધાને લગતા પ્રશ્નો, રેશનકાર્ડ સુધારા સહિત મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારી કચેરીના તમામ પ્રશ્નોના સરળતાપૂર્વક નિકાલ થાય એવી કામગીરી સરપંચ સંઘ દ્વારા અધિકારીઓ સાથે સંકલન સાંધીને કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા દોડધામ મચી

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment