નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને સહાય મળી છેજેમાં આ યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે તેમ અનેક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ.
આ અવસરે નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી )નો લાભ મળતા તેમણે જણાવ્યું હતું કે , અમારા માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું , કાચા મકાનમાં વરસાદ ,તડકો અને ધૂળ લાગતી હતી પરંતુ પ્રધાન મંત્રી યોજના દ્રારા રુ.૩,૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળી છે અને આજે અમારું સહ પરિવાર નવા મકાનમાં આંનદથી રહે છે . આ આવાસ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પ્રત્યે શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો .