April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
દાનહમાં નવા 04 કોરોના પાઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 54 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6196 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 298 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 142 નમૂનાલેવામા આવ્‍યા હતા. જેમાંથી બે રિપોર્ટ પોઝિટીવ આવતા કુલ 04 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં હાલમાં 04 પ્રદેશમા કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 11 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતુ. જેમાં આજે 30 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 441040 અને બીજો ડોઝ 312585 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 2219 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 755844 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

ધરમપુરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી, 16 વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

Leave a Comment