June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ કલ્‍યાણ બાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી રેલી યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્‍યમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલના અધ્‍યક્ષ શ્રી સુરેશભાઈ મકવાણા તેમજ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી મહેન્‍દ્રભાઈ પુનેટકર, પ્રભારી શ્રી ચંપકભાઈ પરમારની ઉપસ્‍થિતિમાં વલસાડ કલ્‍યાણ બાગ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ યાત્રા રૂપે સંગઠનના આગેવાનો સાથે રેલી યોજી ડો. બાબાસાહેબ આંબેડકરની જીવનગાથા વિષે માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જિલ્લા સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલ દેસાઈ, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલકાબેન દેસાઈ, અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા મહામંત્રી હેમંત પટેલ, યોગેશ ભાલે, ખજાનચી ભૂપેનભાઈ, વલસાડ તાલુકા મહામંત્રી અમિતભાઈ, ઉપપ્રમુખ કૈલાશભાઇ રાઠોડ, મંત્રી મુકેશભાઈ મેહવાલા, પારડીતાલુકાના મહામંત્રી સુમીતભાઈ ટેલર, ઉમરગામ તાલુકાના ઉપપ્રમુખ રૂપેશભાઈ, રમેશભાઈ જુજ, શ્રી અમીષભાઈ પટેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Related posts

ચોથું નોરતું- શ્રી ખોડલધામ આયોજિત નવરાત્રિ મહોત્‍સવના ચારેય ઝોનમાં ખૈલાયાઓથી ગ્રાઉન્‍ડ ભરચક્ક

vartmanpravah

ફકત એક વર્ષનાટૂંકા ગાળામાં પારડી પોલીસે રૂા.2,03,47,790નો 1,75,976 નંગ દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment