April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

અત્‍યાર સુધી યોજાયેલા રોજગાર મેળાઓ પૈકી આ વખતે મળેલું સારૂં પરિણામઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લેખે લાગેલી મહેનત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે પ્રદેશના બેરોજગાર યુવક-યુવતિઓને ખાનગી કારખાનાઓમાં ઉપલબ્‍ધ રોજગારના અવસર ઉપલબ્‍ધ કરાવવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને આદેશ મુજબ નોકરીવાંચ્‍છુઓ માટે દમણ કોળી સમાજના હોલમાં એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના નોકરીવાંચ્‍છુ યુવક-યુવતિઓને નોકરી મળે તે હેતુથી આજે દમણ સ્‍થિત કોળી સમાજના હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર અને શ્રમ વિભાગના અધિક કમિશનર ડો. તપસ્‍યા રાઘવ, શ્રમ અને રોજગાર વિભાગના સચિવ સહ કમિશનર શ્રી એસ.અસકર અલી તથા ઉપ કલેક્‍ટર(મુખ્‍યાલય) અને શ્રમ વિભાગના સંયુક્‍ત કમિશનર શ્રી મોહિત મિશ્રાએ દીપ પ્રજ્જવલિત કરીને રોજગાર મેળાનો શુભારંભ કરાવ્‍યોહતો.
અત્રે યોજાયેલા રોજગાર મેળામાં 65 કંપનીઓ અને બે હોટલોએ ભાગ લીધો હતો. જેમાં 492 બેરોજગાર યુવાઓ સામેલ થયા હતા. તેમાંથી 275 બેરોજગાર યુવાઓને તેમની નિયુક્‍તિના આદેશ આપવામાં આવ્‍યા હતા. તથા 217 યુવાઓને રોજગારના ઈન્‍ટરવ્‍યુ માટે સૂચવવામાં આવ્‍યા છે.
નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ભવિષ્‍યમાં સ્‍થાનિક બેરોજગાર વ્‍યક્‍તિઓને ઉદ્યોગો, હોટલો અને અન્‍ય સંસ્‍થાઓમાં નોકરી માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવતું રહેશે.

Related posts

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

ચીખલીના મજીગામમાં શ્રીજી નવરાત્રી મહોત્‍સવમાં મીડિયાકર્મીઓએ આરતીમાં ભાગ લઈ ગરબાની રમઝટને માણી

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

Leave a Comment