Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

અત્‍યાર સુધી યોજાયેલા રોજગાર મેળાઓ પૈકી આ વખતે મળેલું સારૂં પરિણામઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લેખે લાગેલી મહેનત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે પ્રદેશના બેરોજગાર યુવક-યુવતિઓને ખાનગી કારખાનાઓમાં ઉપલબ્‍ધ રોજગારના અવસર ઉપલબ્‍ધ કરાવવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને આદેશ મુજબ નોકરીવાંચ્‍છુઓ માટે દમણ કોળી સમાજના હોલમાં એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના નોકરીવાંચ્‍છુ યુવક-યુવતિઓને નોકરી મળે તે હેતુથી આજે દમણ સ્‍થિત કોળી સમાજના હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર અને શ્રમ વિભાગના અધિક કમિશનર ડો. તપસ્‍યા રાઘવ, શ્રમ અને રોજગાર વિભાગના સચિવ સહ કમિશનર શ્રી એસ.અસકર અલી તથા ઉપ કલેક્‍ટર(મુખ્‍યાલય) અને શ્રમ વિભાગના સંયુક્‍ત કમિશનર શ્રી મોહિત મિશ્રાએ દીપ પ્રજ્જવલિત કરીને રોજગાર મેળાનો શુભારંભ કરાવ્‍યોહતો.
અત્રે યોજાયેલા રોજગાર મેળામાં 65 કંપનીઓ અને બે હોટલોએ ભાગ લીધો હતો. જેમાં 492 બેરોજગાર યુવાઓ સામેલ થયા હતા. તેમાંથી 275 બેરોજગાર યુવાઓને તેમની નિયુક્‍તિના આદેશ આપવામાં આવ્‍યા હતા. તથા 217 યુવાઓને રોજગારના ઈન્‍ટરવ્‍યુ માટે સૂચવવામાં આવ્‍યા છે.
નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ભવિષ્‍યમાં સ્‍થાનિક બેરોજગાર વ્‍યક્‍તિઓને ઉદ્યોગો, હોટલો અને અન્‍ય સંસ્‍થાઓમાં નોકરી માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવતું રહેશે.

Related posts

મોટી દમણના ઢોલર ગવર્નર્મેન્ટ ક્વાટર્સ વિસ્તાર પાણીથી બેટમાં રૂપાંતરિતઃ ઢોલર ચાર રસ્તા ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન વ્યવહારને પડેલી અગવડતા

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

Leave a Comment