November 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

અત્‍યાર સુધી યોજાયેલા રોજગાર મેળાઓ પૈકી આ વખતે મળેલું સારૂં પરિણામઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લેખે લાગેલી મહેનત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે પ્રદેશના બેરોજગાર યુવક-યુવતિઓને ખાનગી કારખાનાઓમાં ઉપલબ્‍ધ રોજગારના અવસર ઉપલબ્‍ધ કરાવવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને આદેશ મુજબ નોકરીવાંચ્‍છુઓ માટે દમણ કોળી સમાજના હોલમાં એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના નોકરીવાંચ્‍છુ યુવક-યુવતિઓને નોકરી મળે તે હેતુથી આજે દમણ સ્‍થિત કોળી સમાજના હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર અને શ્રમ વિભાગના અધિક કમિશનર ડો. તપસ્‍યા રાઘવ, શ્રમ અને રોજગાર વિભાગના સચિવ સહ કમિશનર શ્રી એસ.અસકર અલી તથા ઉપ કલેક્‍ટર(મુખ્‍યાલય) અને શ્રમ વિભાગના સંયુક્‍ત કમિશનર શ્રી મોહિત મિશ્રાએ દીપ પ્રજ્જવલિત કરીને રોજગાર મેળાનો શુભારંભ કરાવ્‍યોહતો.
અત્રે યોજાયેલા રોજગાર મેળામાં 65 કંપનીઓ અને બે હોટલોએ ભાગ લીધો હતો. જેમાં 492 બેરોજગાર યુવાઓ સામેલ થયા હતા. તેમાંથી 275 બેરોજગાર યુવાઓને તેમની નિયુક્‍તિના આદેશ આપવામાં આવ્‍યા હતા. તથા 217 યુવાઓને રોજગારના ઈન્‍ટરવ્‍યુ માટે સૂચવવામાં આવ્‍યા છે.
નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ભવિષ્‍યમાં સ્‍થાનિક બેરોજગાર વ્‍યક્‍તિઓને ઉદ્યોગો, હોટલો અને અન્‍ય સંસ્‍થાઓમાં નોકરી માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવતું રહેશે.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

અંત્‍યોદય યોજના અંતર્ગત આપવામાં આવતા મફત રાશનનો લાભ ડીબીટી યોજનાના લાભાર્થીઓને પણ આપવા સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને રજૂઆત

vartmanpravah

કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ દાનહના સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

જેઈઆરસીની યોજાયેલી જનસુનાવણીમાં સેલવાસ-દમણમાં ટોરેન્‍ટ પાવરના વહીવટ સામે પડેલી પસ્‍તાળ

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

રાજ્‍ય કક્ષાની સ્‍વિમિંગ સ્‍પર્ધામાં વાપીના યુગ ટંડેલએ મેળવ્‍યો દ્વિતીય ક્રમાંક

vartmanpravah

Leave a Comment