Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

અત્‍યાર સુધી યોજાયેલા રોજગાર મેળાઓ પૈકી આ વખતે મળેલું સારૂં પરિણામઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ અને ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાની લેખે લાગેલી મહેનત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા સમય સમયે પ્રદેશના બેરોજગાર યુવક-યુવતિઓને ખાનગી કારખાનાઓમાં ઉપલબ્‍ધ રોજગારના અવસર ઉપલબ્‍ધ કરાવવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે તેની કડીમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને આદેશ મુજબ નોકરીવાંચ્‍છુઓ માટે દમણ કોળી સમાજના હોલમાં એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશના નોકરીવાંચ્‍છુ યુવક-યુવતિઓને નોકરી મળે તે હેતુથી આજે દમણ સ્‍થિત કોળી સમાજના હોલમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર અને શ્રમ વિભાગના અધિક કમિશનર ડો. તપસ્‍યા રાઘવ, શ્રમ અને રોજગાર વિભાગના સચિવ સહ કમિશનર શ્રી એસ.અસકર અલી તથા ઉપ કલેક્‍ટર(મુખ્‍યાલય) અને શ્રમ વિભાગના સંયુક્‍ત કમિશનર શ્રી મોહિત મિશ્રાએ દીપ પ્રજ્જવલિત કરીને રોજગાર મેળાનો શુભારંભ કરાવ્‍યોહતો.
અત્રે યોજાયેલા રોજગાર મેળામાં 65 કંપનીઓ અને બે હોટલોએ ભાગ લીધો હતો. જેમાં 492 બેરોજગાર યુવાઓ સામેલ થયા હતા. તેમાંથી 275 બેરોજગાર યુવાઓને તેમની નિયુક્‍તિના આદેશ આપવામાં આવ્‍યા હતા. તથા 217 યુવાઓને રોજગારના ઈન્‍ટરવ્‍યુ માટે સૂચવવામાં આવ્‍યા છે.
નોંધનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ભવિષ્‍યમાં સ્‍થાનિક બેરોજગાર વ્‍યક્‍તિઓને ઉદ્યોગો, હોટલો અને અન્‍ય સંસ્‍થાઓમાં નોકરી માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવતું રહેશે.

Related posts

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

વાપી એસટી ડેપોમાં કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ પારડી ખાતે ‘‘પા પા પગલી” પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથેનો સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment