Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

તસવીર – દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
નવસારી તાલુકાના આમરી કસ્‍બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્‍ટેનર અને ઇકો કાર વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના પાંચ વ્‍યક્‍તિના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. તેઓના પરિવારજનો પર આફત આવી પડતાં નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે મૃત્‍યુ પામેલા પરિવારજનોને મુખ્‍યમંત્રીશ્રીના ખાસ રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે રાજ્‍ય સરકારશ્રીએ મૃતકોના પ્રત્‍યેક વારસદારને રૂા.4 લાખ લેખે કુલ પાંચ વારસદારોને રૂા. 20/ લાખની સહાય મંજૂર કરાઈ હતી. જેઅંતર્ગત આજરોજ નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સમરોલી ખાતે જઈ વારસદારોને સહાયના ચેક આપવામાં આવ્‍યા હતાં. અને તેમના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્‍ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, શ્રીમતી શીતલબેન સોની, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાંવિત સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment