(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.23
ભાજપના દમણવાડા, પટલારા, કચીગામ અને મગરવાડા મંડળ ખાતે સ્વ. શ્યામ પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે બલિદાન દિવસના અવસર ઉપર પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાના નેતૃત્વમાં જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મનિષભાઈ, શ્રીમતી રૂક્ષ્મણીબેન, જિલ્લા સચિવ શ્રી કિરીટભાઈ, દમણવાડા મંડળના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ, કચીગામ મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ, મગરવાડા મંડળના પ્રમુખ શ્રી ધનંજયભાઈ, ઓબીસી મોર્ચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શ્રીમતી મીનાબેન વગેરે ઉપસ્થિત રહી સ્વ. ડો. શ્યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.