April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્‍સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં સેલવાસ નિવાસી મરાઠી સમાજનું ગૌરવ એવા શ્રીમતી સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષય’માં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ અને એજ વર્ષ શાહ કે.એમ.લૉ કોલેજ વલસાડમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, જે સંદર્ભે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, શાહ કે.એમ.લૉ કોલેજ-વલસાડ અને સરદાર ભીલાડવાળા પારડી પીપલ્‍સ કો-ઓપરેટીવ બેન્‍ક દ્વારા શ્રીમતી સવિતા તાનાજી પાટીલને સવર્ણચંદ્રક ટ્રોફી સર્ટિફિકેટ અને રોકડ રકમ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ કાર્યક્રમમા મુખ્‍ય અતિથિ તરીકે નૂતન કેળવણી મંડળના મંત્રી શ્રી કીર્તિભાઈ દેસાઈ એડવોકેટ, શ્રી રાજુભાઈ દેસાઈ કોલેજના આચાર્ય નિકિતા રાવલ, મહાસચિવ અપૂર્વ પટેલ અને પ્રોફેસર હેમલતા પરમાર વગેરે ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

મોટી દમણની સરકારીઉચ્‍ચત્તર માધ્‍યમિક વિદ્યાલય-ઝરીનો વાર્ષિક રમતોત્‍સવ આનંદ ઉત્‍સાહ અને ધૂમધામથી યોજાયો

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

દાદરા નગર હવેલીમા 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

Leave a Comment