(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અખબારી યાદી મુજબ પાલિકા વિસ્તારમાં રસ્તાઓની આજુબાજુ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરવામાંઆવેલ હોય તો પોતે જાતે જ પંદર દિવસની અંદર હટાવી દેવા, નહિતર આવા ગેરકાયદેસર બાંધકામો કે અતિક્રમણ કરવામાં આવેલ હોય તેને વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ દમણ દીવ નગર પાલિકા વિનિયમન 2004ના અંતર્ગત નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.