March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

શિક્ષક નિલેશભાઈ જગુભાઈ પટેલ વિરુધ્‍ધ ત્રણ દિવસથી વિરોધ
આંદોલન ચાલી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ધરમપુર વિસ્‍તારમાં આવેલ મૃગમાળ પ્રાથમિક શાળાના વિવાદિત શિક્ષકને સ્‍કૂલમાં હાજર નહી રહેવાની માંગણી સરપંચ, એસ.એમ.સી. સભ્‍યો અને ગ્રામજનોએ ગત તા.13 ફેબ્રુઆરીએ માંગણી સાથે વિરોધ નોંધાવ્‍યો હતો. તેમ છતા આજે ગુરૂવારે વિવાદિત શિક્ષક શાળામાં ફરજ ઉપર હાજર થતાની સાથે જ વિવાદ ઉભો થયો હતો. એમ.એમ.સી. સભ્‍યો અને લોકો શાળામાં ધસી ગયા હતા. બાળકોને બહાર કાઢીશાળાને તાળા મારી દીધા હતા.
ધરમપુર પાસે આવેલ મૃગમાળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ જગુભાઈ પટેલ સામે છેલ્લા ત્રણ દિવસથી ગામ અને શાળામાં વિવાદ ચાલી રહ્યો છે. આ શિક્ષક કથિત સજા પામેલ હોઈ બાળકોનું શૈક્ષણિક કાર્ય સારી રીતે નહી કરી શકે એ મુદ્દે ગત તા.13 ફેબ્રુઆરીએ એમ.એમ.સી. સભ્‍યો અને સરપંચ તથા ધરમપુર તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ સહિત ગ્રામજનોએ ઉચ્‍ચ રજૂઆત કરી માંગણી કરી હતી કે આ વિવાદિત શિક્ષક શાળામાં રાખવો જોઈએ નહી, તેને દુર કરો અને નહી કરાય તો શાળાની તાળાબંધી કરીશું. તેમ છતાં આજે તા.15 ગુરૂવારે વિવાદીત શિક્ષક નિલેશભાઈ પટેલ શાળામાં આવતા જ મામલે ગરમાઈ ગયો હતો. એમ.એમ.સી. સભ્‍યો અને ગ્રામજનોએ બાળકોને સ્‍કૂલની બહાર કાઢી શાળાને તાળા મારી દીધા હતા. તેથી મામલો વધુ પેચીદો બની ગયો હતો.

Related posts

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

સરીગામ કેમિકલ ઝોનમાં કેમિકલ યુક્‍ત વહેતા પાણીના જીપીસીબીએ એકત્રિત કરેલા નમૂના : ફેરેસ સલ્‍ફેટ બનાવતી કંપની શંકાના દાયરામાં

vartmanpravah

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment