Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.30: ચીખલીમાં શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડીનો લાભ તસ્‍કરો લઈ રહ્યા હોય તેમ ચોરીના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે. પોલીસનો કોઈ ધાક ન હોય તેમ બેફામ બનેલા તસ્‍કરો બિન્‍દાસ ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે. સલામત ગુજરાતના દાવા વચ્‍ચે પોતાની અને જાનમાલની સુરક્ષા સામે અનેકસવાલો ઉભા થવા પામ્‍યા છે.
ચીખલી પોલીસ મથકમાં હોન્‍ડ ગામના ઝંડા ચોક વિસ્‍તારમાં રહેતા મધુબેન વસંતભાઈ રાઠોડ 29મી જાન્‍યુઆરીની રાત્રે તેમના બાજુમાં રહેતા દીકરાનું નાનું છોકરો રડતું હોય તેના ઘરે સુવા ગયા હતા અને તેમના ઘરે મોટો દીકરો અને વહુ સુતેલા હતા. આ દરમિયાન સવારે ચારેક વાગ્‍યાના અરસામાં બાજુમાં દીકરાના ઘરેથી તેઓ તેમના ઘરે આવતા ઘરના આગળ અને પાછળના દરવાજા ખુલ્લા જોવા મળ્‍યા હતા અને ઘરમાં તિજોરી અને લોકર તૂટેલી હાલતમાં હોવા સાથે રોકડા રૂ.45,000/- તથા સોનાની બુટ્ટી, સોનાની વિંટી, નાકની નથડી, મંગળસૂત્ર, ચાંદીની ચેઈન, ચાંદીની વિંટી સહિત કુલ રૂા. 1,14,400/-ની મત્તા કોઈ અજાણ્‍યો ચોર ચોરી ગયો હતો. જોકે ઉપરોક્‍ત બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ ગુનો મોડી સાંજ સુધી નોંધાયો ન હતો.
નોંધનીય છે કે, શનિવારની રાત્રે ચીખલી બસ સ્‍ટેન્‍ડની સામેના શોપિંગ સેન્‍ટરમાં ભાટિયા મોબાઈલમાં પાછળની દીવાલમાં બોકારું પાડી ચોરટાઓ રૂા.29.61 લાખના મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરીને અંજામ આપ્‍યો હતો. આ પૂર્વે પોલીસ સ્‍ટેશનથી એકાદ કિમીના અંતરે આવેલ સાદકપોરના ગોલવાડ વિસ્‍તારમાં એક જ રાત્રે એક સાથે એક ઘર અને 13 જેટલી દુકાનોના તાળાતૂટયા હતા અને હવે હોન્‍ડમાં ચોરીનો બનાવ બનતા ચોરીના ઉપરા છાપરી બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment