દીવના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનું ચુકવેલું ઋણઃ હવે લોકો જાગતા થતાં તંત્રને બાનમાં લેનારાઓને મળેલો જાકારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.10
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર પોતાની દુકાન ચલાવનારાઓનો પર્દાફાશ થયો છે અને દીવના લોકોએ આવા તત્ત્વોને જાકારો પણઆપ્યો છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં લોકોએ પોતાનું મન બનાવી લીધું હતું કે અકલ્પનીય થયેલા વિકાસ ઉપર મહોર મારવી છે. પ્રદેશ અને જિલ્લાના વિકાસના શિલ્પી તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણ ચુકવી તમામ બેઠકો બિનહરિફ રીતે ભાજપને આપવાનો બહુમતિ લોકોએ નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાક લોકોને ચૂંટણી થાય તેમાં અને ઉમેદવારી કર્યા બાદ ખેંચાવવામાં રસ હતો. દીવ નગરપાલિકાની 6 બેઠકો બિનહરિફ ભાજપના ફાળે ગયા બાદ 7 બેઠકો ઉપર ચૂંટણી ફરજીયાત બની હતી. પરંતુ લોકોએ આપેલા ચુકાદાથી સાબિત થયું છે કે, હવે તંત્રને બાનમાં લેનારાઓના દિવસો પુરા થયા છે અને લોકો જાગતા થયા છે.