Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

દીવના લોકોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યેનું ચુકવેલું ઋણઃ હવે લોકો જાગતા થતાં તંત્રને બાનમાં લેનારાઓને મળેલો જાકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.10
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર પોતાની દુકાન ચલાવનારાઓનો પર્દાફાશ થયો છે અને દીવના લોકોએ આવા તત્ત્વોને જાકારો પણઆપ્‍યો છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં લોકોએ પોતાનું મન બનાવી લીધું હતું કે અકલ્‍પનીય થયેલા વિકાસ ઉપર મહોર મારવી છે. પ્રદેશ અને જિલ્લાના વિકાસના શિલ્‍પી તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણ ચુકવી તમામ બેઠકો બિનહરિફ રીતે ભાજપને આપવાનો બહુમતિ લોકોએ નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાક લોકોને ચૂંટણી થાય તેમાં અને ઉમેદવારી કર્યા બાદ ખેંચાવવામાં રસ હતો. દીવ નગરપાલિકાની 6 બેઠકો બિનહરિફ ભાજપના ફાળે ગયા બાદ 7 બેઠકો ઉપર ચૂંટણી ફરજીયાત બની હતી. પરંતુ લોકોએ આપેલા ચુકાદાથી સાબિત થયું છે કે, હવે તંત્રને બાનમાં લેનારાઓના દિવસો પુરા થયા છે અને લોકો જાગતા થયા છે.

Related posts

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

vartmanpravah

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment