(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના લીધે મુખ્યમર્ગો અને અંતરિયાલ માર્ગો ભારે વરસાદના લીધે ધોવાણ થયા હતાં. જેના કારણે સામાન્ય લોકોને વાહન વ્યવહાર અને અવરજવર માટે મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ગણદેવી, બીલીમોરા, ચીખલી, વાંસદા, નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી માર્ગોમાં થયેલા નુકશાનનું મરામત કામ શરૂ કરવામાં આવ્યું છે.