December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

ડેમના ડુબાણમાં જનારા ગામડાઓના હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો આજે દેશની લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે ભલામણ કરી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્‍યાન દોરતાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્‍મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારી નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે.
લોકો બેરોજગાર થશે,બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ-જંગલ, જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્‍તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્‍થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્‍ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
આટલી મોટી સંખ્‍યામાં આદિવાસી પરિવાર અને પર્યાવરણને ભારે નુકશાનપહોંચાડી શકે તેવી આ યોજના તાત્‍કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના માધ્‍યમથી ભારત સરકારને કરી છે.

Related posts

વલસાડની સેગવા પ્રાથમિક શાળામાં કુદરતી આપત્તિ માર્ગદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

દાનહ રમતગમત અને યુવા વિભાગ દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment