Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) કાર્યરત છે. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા અને લોકોનાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવાનાં લક્ષ્ય સાથે તેમજ જિલ્લાનાં તમામ નાગરિકો, માતા અને બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી તમામ સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ વલસાડ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા બાબતે એનાલીસીસ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડનાં સહકાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને સતત પ્રયત્નો થકી વિકેંદ્રીત જિલ્લા આયોજન માંથી ૩ એમ્બ્યુલન્સ (મગોદ, નાનીતંબાડી, નાનીઢોલડુંગરી), ટ્રાઈબલ એરીયા સબ-પ્લાન (ન્યુ ગુજરાત પેટર્ન) માંથી ૩ એમ્બ્યુલન્સ (ઉમરસાડી, ખત્તલવાડા, અંકલાસ), નિર્દિષ્ટ વિસ્તાર સર્વગ્રાહી વિકાસ (નોટીફાઈડ એરીયા) માંથી ૪ એમ્બ્યુલન્સ (છીરી, કરવડ, ફણસા, સોળસુંબા), જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આયોજનની ગ્રાંટમાંથી ૩ એમ્બ્યુલન્સ (ધરાસણા, વટાર, હનમતમાળ), માન. ધારાસભ્યશ્રી કપરાડાનાં ભંડોળમાંથી ૨ એમ્બ્યુલન્સ (નાનાપોંઢા, કપરાડા), ગ્રામ પંચાયત દહેરીનાં ભંડોળમાંથી ૧ એમ્બ્યુલન્સ (દહેરી) અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લી. તરફથી કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ૨ એમ્બ્યુલન્સ (પરીયા, વાંકલ) મળી કુલ ૧૮ એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ પૈકી ૭ એમ્બ્યુલન્સની ડીલીવરી પણ થઈ ગઈ છે અને બાકી રહેલી ૧૧ માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ૧૧ એમ્બ્યુલન્સની પણ આગામી મહિનાના અંત સુધીમાં ડીલીવરી થઈ જશે.

આ ઉપરાંત, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પણ આ વર્ષના અંત સુધીમાં જિલ્લા પંચાયત કક્ષાનાં નાણાપંચ/ તાલુકા પંચાયત કક્ષાનાં નાંણાપંચમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કરવાથી વલસાડ જિલ્લાનાં બધાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

Related posts

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

કપરાડામાં 3 સ્‍કૂલોમાં આશારામ બાપુના ફોટાની પૂજા-અર્ચના કરાવા બદલ 33 શિક્ષકોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

Leave a Comment