April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) કાર્યરત છે. વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા અને લોકોનાં આરોગ્યનું સ્તર ઉંચુ લાવવાનાં લક્ષ્ય સાથે તેમજ જિલ્લાનાં તમામ નાગરિકો, માતા અને બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે જરૂરી તમામ સુવિધા મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ વલસાડ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા બાબતે એનાલીસીસ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડનાં સહકાર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને સતત પ્રયત્નો થકી વિકેંદ્રીત જિલ્લા આયોજન માંથી ૩ એમ્બ્યુલન્સ (મગોદ, નાનીતંબાડી, નાનીઢોલડુંગરી), ટ્રાઈબલ એરીયા સબ-પ્લાન (ન્યુ ગુજરાત પેટર્ન) માંથી ૩ એમ્બ્યુલન્સ (ઉમરસાડી, ખત્તલવાડા, અંકલાસ), નિર્દિષ્ટ વિસ્તાર સર્વગ્રાહી વિકાસ (નોટીફાઈડ એરીયા) માંથી ૪ એમ્બ્યુલન્સ (છીરી, કરવડ, ફણસા, સોળસુંબા), જિલ્લા વિકાસ અધિકારીશ્રીની આયોજનની ગ્રાંટમાંથી ૩ એમ્બ્યુલન્સ (ધરાસણા, વટાર, હનમતમાળ), માન. ધારાસભ્યશ્રી કપરાડાનાં ભંડોળમાંથી ૨ એમ્બ્યુલન્સ (નાનાપોંઢા, કપરાડા), ગ્રામ પંચાયત દહેરીનાં ભંડોળમાંથી ૧ એમ્બ્યુલન્સ (દહેરી) અને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લી. તરફથી કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્સીબીલીટી હેઠળ ૨ એમ્બ્યુલન્સ (પરીયા, વાંકલ) મળી કુલ ૧૮ એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ પૈકી ૭ એમ્બ્યુલન્સની ડીલીવરી પણ થઈ ગઈ છે અને બાકી રહેલી ૧૧ માટે પ્રક્રિયા ચાલી રહી છે. આ ૧૧ એમ્બ્યુલન્સની પણ આગામી મહિનાના અંત સુધીમાં ડીલીવરી થઈ જશે.

આ ઉપરાંત, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં પણ આ વર્ષના અંત સુધીમાં જિલ્લા પંચાયત કક્ષાનાં નાણાપંચ/ તાલુકા પંચાયત કક્ષાનાં નાંણાપંચમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કરવાથી વલસાડ જિલ્લાનાં બધાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર(CHC) ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

Related posts

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

vartmanpravah

‘સતર્કતા જાગળતિ સપ્તાહ-2021′ પર સરકારી કર્મચારીઓને પ્રશાસકશ્રીના સલાહકાર એ.કે.સિંઘે અખંડિતતાના લેવડાવેલા શપથઃ પ્રદેશમાં સતર્કતા સપ્તાહનો આરંભ

vartmanpravah

Leave a Comment