Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24
દેશના રાષ્‍ટ્રપતિ તરીકે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુનો ભવ્‍ય વિજય થતા દેશના ઈતિહાસમાં આદિવાસી મહિલાને પ્રથમ વખત સ્‍થાન મળ્‍યું છે. જેની ઉજવણી સમગ્ર રાષ્‍ટ્ર અને ખાસ કરીને આદિવાસી વિસ્‍તારોમાં ઉત્‍સાહભેર કરવામાં આવી રહી છે. ઉમરગામ તાલુકામાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર અને ભાજપાના આદિજાતિ મોરચા પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી પ્રવીણભાઈ પટેલના અધ્‍યક્ષતા હેઠળ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વિજયના વધામણા કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરઈ ફાટક ચાર રસ્‍તાથી ધોડીપાડા સાંસ્‍કળતિક હોલ સુધીનીભવ્‍ય રેલી અને ત્‍યારબાદ ધોડીપાડા સભાખંડમાં સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્‍યામાં આદિવાસીઓની હાજરી જોવા મળી હતી તેમજ ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ખુશી વ્‍યક્‍ત કરવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા આદિવાસીઓએ વાજિંત્રો વગાડી ઉત્‍સાહ ભર્યું વાતાવરણ બનાવી દીધું હતું તેમજ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર ઉપરાંત તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જિલ્લા પંચાયત સભ્‍યો શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દીપકભાઈ મિષાી, શ્રી ભરતભાઈ જાદવ, શ્રી જીગ્નેશભાઈ મરોલીકર, આ ઉપરાંત તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ સોનપાલ, શ્રી મણીભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, ઉમરગામ પાલિકા સભ્‍ય શ્રી અંકુશભાઈ કામળી, શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, કારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ, સરપંચ સંઘના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment