સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી દ્વારા નરોલી દ્વારા ભવાની માતા મંદિર પાસે એક વ્યક્તિ એક્ટિવા નંબર ડીએન 09 પી-8500 પર પ્લાસ્ટિકની થેલીમાં દારૂ લઈ જતા જોવા મળ્યો હતો જેમાં અંદાજીત 3440 રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. આરોપીનું નામ નારાયણલાલ પન્નારામ ચૌધરી રહેવાસી ખાડીપાડા અથાલ જે પોતે શ્રી રામદેવ કિરાણા અને જનરલ સ્ટોર નામની દુકાન પણ ચલાવે છે.
વધુમાં તેણે તેની દુકાનમાં દારૂનો જથ્થો એકઠો કર્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 8880 રૂપિયાની તંબાકુની પ્રોડક્ટ મળી આવી હતી. ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ દારૂ અને તંબાકુના જથ્થા અંગે આબકારી વિભાગ અને ફુડ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.