December 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રસાશન દ્વારા આઝાદીનો અમૃત મહોત્‍સવ મનાવવા જઈરહ્યું છે. સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નગરવાસીઓને અપીલ કરે છે કે, પોતાના ઘર પર, દુકાનો પર, ઔદ્યોગિક એકમોમા તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ અંતર્ગત પોતાના ઘર પાસે, દુકાન પાસે અને સોસાયટીઓમાં દેશભક્‍તિ ગીત પણ વગાડી શકે છે. રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ કેસરિયો સફેદ અને લીલા રંગના ફુગ્‍ગાઓ ફુલાવી દેશભક્‍તિ સાથે જોડાઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાલિકા દરેકને અપીલ કરે છે કે, harghartiranga.com વેબસાઈટ પર પિન ટુ ફલેગ કરી પોતાની સેલ્‍ફી પણ અપલોડ કરી શકાશે. પાલિકા વિસ્‍તારમાં વિવિધ જગ્‍યા પર વોલ પેન્‍ટીંગ કરવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને ઝંડા ચોક શાળામાં વેસ્‍ટ ટુ આર્ટ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાગ લેનાર પાલિકા કચેરીમાં 10 ઓગસ્‍ટ પહેલા સંપર્ક કરી શકે છે અથવા મોબાઈલ નંબર 83474 72611 ઉપર પોતાનું નામ નોંધાવી શકે છે.

Related posts

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવનારા આરોગ્‍ય કર્મચારીઓને પણ કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચુકવવા ઉઠેલી માંગ

vartmanpravah

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

Leave a Comment