February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રસાશન દ્વારા આઝાદીનો અમૃત મહોત્‍સવ મનાવવા જઈરહ્યું છે. સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નગરવાસીઓને અપીલ કરે છે કે, પોતાના ઘર પર, દુકાનો પર, ઔદ્યોગિક એકમોમા તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ અંતર્ગત પોતાના ઘર પાસે, દુકાન પાસે અને સોસાયટીઓમાં દેશભક્‍તિ ગીત પણ વગાડી શકે છે. રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ કેસરિયો સફેદ અને લીલા રંગના ફુગ્‍ગાઓ ફુલાવી દેશભક્‍તિ સાથે જોડાઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાલિકા દરેકને અપીલ કરે છે કે, harghartiranga.com વેબસાઈટ પર પિન ટુ ફલેગ કરી પોતાની સેલ્‍ફી પણ અપલોડ કરી શકાશે. પાલિકા વિસ્‍તારમાં વિવિધ જગ્‍યા પર વોલ પેન્‍ટીંગ કરવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને ઝંડા ચોક શાળામાં વેસ્‍ટ ટુ આર્ટ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાગ લેનાર પાલિકા કચેરીમાં 10 ઓગસ્‍ટ પહેલા સંપર્ક કરી શકે છે અથવા મોબાઈલ નંબર 83474 72611 ઉપર પોતાનું નામ નોંધાવી શકે છે.

Related posts

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્‍તુતિ

vartmanpravah

દમણ અદાલતે જારી કરેલો આદેશ = દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રા.પં.ના તત્‍કાલિન સરપંચ ધર્મેશ પટેલનો ખંડણીના ગુનામાં નિર્દોષ છૂટકારો

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

Leave a Comment