Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રસાશન દ્વારા આઝાદીનો અમૃત મહોત્‍સવ મનાવવા જઈરહ્યું છે. સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નગરવાસીઓને અપીલ કરે છે કે, પોતાના ઘર પર, દુકાનો પર, ઔદ્યોગિક એકમોમા તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ અંતર્ગત પોતાના ઘર પાસે, દુકાન પાસે અને સોસાયટીઓમાં દેશભક્‍તિ ગીત પણ વગાડી શકે છે. રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ કેસરિયો સફેદ અને લીલા રંગના ફુગ્‍ગાઓ ફુલાવી દેશભક્‍તિ સાથે જોડાઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાલિકા દરેકને અપીલ કરે છે કે, harghartiranga.com વેબસાઈટ પર પિન ટુ ફલેગ કરી પોતાની સેલ્‍ફી પણ અપલોડ કરી શકાશે. પાલિકા વિસ્‍તારમાં વિવિધ જગ્‍યા પર વોલ પેન્‍ટીંગ કરવાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે અને ઝંડા ચોક શાળામાં વેસ્‍ટ ટુ આર્ટ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાગ લેનાર પાલિકા કચેરીમાં 10 ઓગસ્‍ટ પહેલા સંપર્ક કરી શકે છે અથવા મોબાઈલ નંબર 83474 72611 ઉપર પોતાનું નામ નોંધાવી શકે છે.

Related posts

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા 15મી ઓગસ્‍ટે સ્‍વતંત્રતા દિન સમારંભ મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે યોજાશેઃ 9 વાગ્‍યે ધ્‍વજારોહણ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment