April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

  • ભારત સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોની સરકારી ફિની રકમ સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્‍ય દિનેશભાઈ ધોડી દ્વારા ભરી કરેલું આવકારદાયક કામ

  • કચીગામના દરેક ઘરને નળનું કનેક્‍શન મળવાથી હવે પાણીની સમસ્‍યાનો આવનારો અંત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24
ભારત સરકારની ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દમણજિલ્લાની કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડીએ પોતાની પંચાયત વિસ્‍તારનું એકપણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લીધી છે અને જરૂરિયાતમંદોને સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યએ કનેક્‍શન માટે જરૂરી ફિસ પણ ભરી આવકારદાયક કાર્ય ર્ક્‍યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચીગામ વિસ્‍તારમાં પીવાના પાણીની બહુ મોટી સમસ્‍યા હતી. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને ભારત સરકારની ‘નલ સે જલ’યોજના ખુબજ ઝડપથી કાર્યાન્‍વિત કરતા કચીગામ વિસ્‍તારના જરૂરિયાતમંદ લોકોને નળના કનેક્‍શન માટે થનારો ખર્ચ શ્રી ભરતભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ ધોડીએ ઉઠાવી લેતા બહુ મોટી રાહત થઈ છે. અને પાણીની મોટી સમસ્‍યાનું સમાધાન સંભવ બન્‍યું છે જેના કારણે લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Related posts

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.29 થી 31 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

Leave a Comment