October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

દશ દિવસ માતાજીની અર્ચના, પૂજા, આરાધનાકરી ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
આજે અષાઢી અમાસનો દિવસ એટલે દિવાસાના દિવસનો અપરંપાર મહિમા છે. વલસાડ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાવિક ભક્‍તો દ્વારા દશામાની મૂર્તિઓની સ્‍થાપના કરી હતી. વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓની ઢોલનગારાના ઉત્‍સાહભેર ઠેર ઠેર સ્‍થાપના કરાઈ હતી.
અષાઢી અમાસનો દિવસ ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત દિવાસાના પર્વનો દિવસ છે. આજથી દશ દિવસ દશામાની મૂર્તિઓની સ્‍થાપિત કરાયેલ મૂર્તિઓની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. આ પર્વ દશ દિવસ સુધી ચાલે છે. તેથી આજે પ્રથમ દિવસે ભાવિકો નાચતા ગાતા, ઢોલ ત્રાસાના તાલે ઉલ્લાસભેર દશામાની મૂર્તિઓ લઈ આવી ઘરો કે મહોલ્લામાં વિધિવત સ્‍થાપના કરી હતી. 10 દિવસ સુધી આરતી, ભજન, પુજા-પાઠ માતાજીના ભક્‍તો કરશે અને દશમાં દિવસે અશ્રુભીની આંખે ભક્‍તો રાત્રે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

ચીખલીના સતાડીયા ગામે થયેલી મારામારીમાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment