March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

દશ દિવસ માતાજીની અર્ચના, પૂજા, આરાધનાકરી ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
આજે અષાઢી અમાસનો દિવસ એટલે દિવાસાના દિવસનો અપરંપાર મહિમા છે. વલસાડ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાવિક ભક્‍તો દ્વારા દશામાની મૂર્તિઓની સ્‍થાપના કરી હતી. વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓની ઢોલનગારાના ઉત્‍સાહભેર ઠેર ઠેર સ્‍થાપના કરાઈ હતી.
અષાઢી અમાસનો દિવસ ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત દિવાસાના પર્વનો દિવસ છે. આજથી દશ દિવસ દશામાની મૂર્તિઓની સ્‍થાપિત કરાયેલ મૂર્તિઓની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. આ પર્વ દશ દિવસ સુધી ચાલે છે. તેથી આજે પ્રથમ દિવસે ભાવિકો નાચતા ગાતા, ઢોલ ત્રાસાના તાલે ઉલ્લાસભેર દશામાની મૂર્તિઓ લઈ આવી ઘરો કે મહોલ્લામાં વિધિવત સ્‍થાપના કરી હતી. 10 દિવસ સુધી આરતી, ભજન, પુજા-પાઠ માતાજીના ભક્‍તો કરશે અને દશમાં દિવસે અશ્રુભીની આંખે ભક્‍તો રાત્રે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment