Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

દશ દિવસ માતાજીની અર્ચના, પૂજા, આરાધનાકરી ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
આજે અષાઢી અમાસનો દિવસ એટલે દિવાસાના દિવસનો અપરંપાર મહિમા છે. વલસાડ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાવિક ભક્‍તો દ્વારા દશામાની મૂર્તિઓની સ્‍થાપના કરી હતી. વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓની ઢોલનગારાના ઉત્‍સાહભેર ઠેર ઠેર સ્‍થાપના કરાઈ હતી.
અષાઢી અમાસનો દિવસ ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત દિવાસાના પર્વનો દિવસ છે. આજથી દશ દિવસ દશામાની મૂર્તિઓની સ્‍થાપિત કરાયેલ મૂર્તિઓની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. આ પર્વ દશ દિવસ સુધી ચાલે છે. તેથી આજે પ્રથમ દિવસે ભાવિકો નાચતા ગાતા, ઢોલ ત્રાસાના તાલે ઉલ્લાસભેર દશામાની મૂર્તિઓ લઈ આવી ઘરો કે મહોલ્લામાં વિધિવત સ્‍થાપના કરી હતી. 10 દિવસ સુધી આરતી, ભજન, પુજા-પાઠ માતાજીના ભક્‍તો કરશે અને દશમાં દિવસે અશ્રુભીની આંખે ભક્‍તો રાત્રે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્‍યુઆરીએ યોજાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં મગરવાડા ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ સ્‍થળની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

Leave a Comment