April 16, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

દશ દિવસ માતાજીની અર્ચના, પૂજા, આરાધનાકરી ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
આજે અષાઢી અમાસનો દિવસ એટલે દિવાસાના દિવસનો અપરંપાર મહિમા છે. વલસાડ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભાવિક ભક્‍તો દ્વારા દશામાની મૂર્તિઓની સ્‍થાપના કરી હતી. વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓની ઢોલનગારાના ઉત્‍સાહભેર ઠેર ઠેર સ્‍થાપના કરાઈ હતી.
અષાઢી અમાસનો દિવસ ભારતીય સંસ્‍કૃતિ અને પરંપરાગત દિવાસાના પર્વનો દિવસ છે. આજથી દશ દિવસ દશામાની મૂર્તિઓની સ્‍થાપિત કરાયેલ મૂર્તિઓની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. આ પર્વ દશ દિવસ સુધી ચાલે છે. તેથી આજે પ્રથમ દિવસે ભાવિકો નાચતા ગાતા, ઢોલ ત્રાસાના તાલે ઉલ્લાસભેર દશામાની મૂર્તિઓ લઈ આવી ઘરો કે મહોલ્લામાં વિધિવત સ્‍થાપના કરી હતી. 10 દિવસ સુધી આરતી, ભજન, પુજા-પાઠ માતાજીના ભક્‍તો કરશે અને દશમાં દિવસે અશ્રુભીની આંખે ભક્‍તો રાત્રે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધન્‍યતા અનુભવશે.

Related posts

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

Leave a Comment