April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર ભાજપના ઉમેદવાર અને ત્રણ ટર્મના સાંસદ લાલુભાઈ પટેલનું કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે મોટી દમણના આંબાવાડી ખાતે આવેલ મીટનાવાડના શ્રી રામ મંદિરથી ડોર ટુ ડોર પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડનાશ્રી રામ મંદિરથી શ્રી લાલુભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ 2009ની ચૂંટણીમાં પણ કર્યા હતા ત્‍યારબાદ 2014, 2019 અને હાલમાં 2024માં પણ શ્રી રામ ભગવાનના આશીર્વાદ સાથે આજથી ચૂંટણી પ્રચારના યજ્ઞની શરૂઆત કરી હતી.
આજના ચૂંટણી પ્રચારમાં દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, મરવડના સરપંચ શ્રીમતી પ્રીતિબેન ધનસુખ હળપતિ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણવાડાના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ તથા વિવિધ મંડળોના અધ્‍યક્ષો, વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.
ડોર ટુ ડોર અભિયાનમાં દમણ-દીવ બેઠકના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનું ખુબ જ ઉમળકાભેર ઠેર ઠેર સ્‍વાગત કરાયું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આ બેઠક ઉપર પ્રચંડ બહુમતિથી વિજય અપાવવા લોકોએ પોતાનો સંકલ્‍પ પણ પ્રગટ કર્યો હતો.

Related posts

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં વિદ્યારંભે સરસ્‍વતી પૂજન

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

Leave a Comment