Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના વાસોણા વન્‍યજીવ અભ્‍યારણમાં ગેરકાયદેસર અતિક્રમણ કરી વસવાટ કરવા બાબત ગુનેગાર ધાકલ રૂપજી તુમણા વિરુદ્ધ વન અધિકારી કિરણસિંહ પરમારે વન્‍યજીવ કાયદા 1972 કલમ અંતર્ગત ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, જે સંદર્ભે સેલવાસ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારી વકીલ શ્રી પ્રવીણ પટેલની ધારદાર દલીલ બાદ સિવિલ જજ શ્રી બી.એસ.પરમારે ચુકાદો આપતા ગુનેગાર ધાકલ તુમણાને બે હજાર અથવા બે મહિના સખ્‍ત કેદની સજા અને તાત્‍કાલિક અતિક્રમણ હટાવવાનો આદેશ કરવામાં આવ્‍યો છે. વન અધિકારીના જણાવ્‍યા અનુસાર વાસોણા લાયન સફારી સામે આવેલ વન્‍યજીવ અભ્‍યારણમાં કેટલાક ઈસમોએ અતિક્રમણ કરી ખેતી કરી રહ્યા છે તેનો પણ ટુંકા દિવસોમાં ચુકાદો આવી શકેએમ છે, તે સિવાય 15 જેટલા વ્‍યક્‍તિઓ સામે હાલમાં હાઈકોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 24મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ વી.આઈ.એ.માં યોજાઈ

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

vartmanpravah

Leave a Comment