July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના વાસોણા વન્‍યજીવ અભ્‍યારણમાં ગેરકાયદેસર અતિક્રમણ કરી વસવાટ કરવા બાબત ગુનેગાર ધાકલ રૂપજી તુમણા વિરુદ્ધ વન અધિકારી કિરણસિંહ પરમારે વન્‍યજીવ કાયદા 1972 કલમ અંતર્ગત ગુનો નોંધી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, જે સંદર્ભે સેલવાસ કોર્ટમાં કેસ ચાલતો હતો. સરકારી વકીલ શ્રી પ્રવીણ પટેલની ધારદાર દલીલ બાદ સિવિલ જજ શ્રી બી.એસ.પરમારે ચુકાદો આપતા ગુનેગાર ધાકલ તુમણાને બે હજાર અથવા બે મહિના સખ્‍ત કેદની સજા અને તાત્‍કાલિક અતિક્રમણ હટાવવાનો આદેશ કરવામાં આવ્‍યો છે. વન અધિકારીના જણાવ્‍યા અનુસાર વાસોણા લાયન સફારી સામે આવેલ વન્‍યજીવ અભ્‍યારણમાં કેટલાક ઈસમોએ અતિક્રમણ કરી ખેતી કરી રહ્યા છે તેનો પણ ટુંકા દિવસોમાં ચુકાદો આવી શકેએમ છે, તે સિવાય 15 જેટલા વ્‍યક્‍તિઓ સામે હાલમાં હાઈકોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા છે.

Related posts

વાપીમાં નવીન સ્‍ટાર્ટઅપ ટિકકુ કોન્‍ડિમેન્‍ટ્‍સ પ્રા.લી.નું કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઈએ ઉદઘાટન કર્યું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા ખેડૂતોમાં વ્‍યાપેલી ચિંતા: કેરી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

Leave a Comment