March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથની ઉપાસના દર્શન ભક્‍તો અવિરત કરતા રહે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ આવેલ પ્રથમ સોમવારે વલસાડ જિલ્લાના શિવાલયો બસ બસ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. વલસાડ જિલ્લામાં સુવિખ્‍યાત શિવાલયો-મંદિરો આવેલાછે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભાવિ ભક્‍તોની ભીડ ભોલેનાથના દર્શન, અર્ચના કરવા ઉમટી પડી હતી. બિલ્‍વપત્ર દૂધ ચઢાવી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડમાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર 800 વર્ષ પૌરાણિક છે. ચમત્‍કારિક ગણાતા આ મંદિરની છત અનેક વખત બાંધવાનો પ્રયાસ કરાયો પણ ટકતી નથી. શિવબાબા ઉપર સૂર્યના સીધા કિરણો અભિષેક કરે છે. તેથી જિલ્લાભરમાં તડકેશ્વર મહાદેવ મંદિર ભાવિકો માટે સદીઓથી આસ્‍થાનું કેન્‍દ્ર રહેલ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વલસાડ શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી હજારો શિવભક્‍તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડયા હતા. ઉત્તર ભારતીયો શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢે છે. આજે વલસાડ રામજી મંદિરથી નિકળેલી કાવડ યાત્રા તડકેશ્વર મહાદેવ પહોંચી સમાપ્ત થઈ હતી. જિલ્લાના બરુમાળ 13મા જ્‍યોર્તિલિંગ ગણાતા ભાવભાવેશ્વર મહાદેવ મંદિરમાં પણ સોમવારથી ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. વાપીમાં સિધ્‍ધેશ્વર મહાદેવ અને જી.આઈ.ડી.સી. અંબામાતા મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવદર્શન અને અભિષેક માટે ભક્‍તોની કતારો જોવા મળી હતી.

Related posts

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

Leave a Comment