Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથની ઉપાસના દર્શન ભક્‍તો અવિરત કરતા રહે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ આવેલ પ્રથમ સોમવારે વલસાડ જિલ્લાના શિવાલયો બસ બસ ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. વલસાડ જિલ્લામાં સુવિખ્‍યાત શિવાલયો-મંદિરો આવેલાછે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિરે સવારથી ભાવિ ભક્‍તોની ભીડ ભોલેનાથના દર્શન, અર્ચના કરવા ઉમટી પડી હતી. બિલ્‍વપત્ર દૂધ ચઢાવી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી.
વલસાડ જિલ્લામાં વલસાડમાં આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર 800 વર્ષ પૌરાણિક છે. ચમત્‍કારિક ગણાતા આ મંદિરની છત અનેક વખત બાંધવાનો પ્રયાસ કરાયો પણ ટકતી નથી. શિવબાબા ઉપર સૂર્યના સીધા કિરણો અભિષેક કરે છે. તેથી જિલ્લાભરમાં તડકેશ્વર મહાદેવ મંદિર ભાવિકો માટે સદીઓથી આસ્‍થાનું કેન્‍દ્ર રહેલ છે. આજે શ્રાવણના પ્રથમ સોમવારે વલસાડ શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી હજારો શિવભક્‍તો દર્શન કરવા મંદિરમાં ઉમટી પડયા હતા. ઉત્તર ભારતીયો શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કાઢે છે. આજે વલસાડ રામજી મંદિરથી નિકળેલી કાવડ યાત્રા તડકેશ્વર મહાદેવ પહોંચી સમાપ્ત થઈ હતી. જિલ્લાના બરુમાળ 13મા જ્‍યોર્તિલિંગ ગણાતા ભાવભાવેશ્વર મહાદેવ મંદિરમાં પણ સોમવારથી ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. વાપીમાં સિધ્‍ધેશ્વર મહાદેવ અને જી.આઈ.ડી.સી. અંબામાતા મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવદર્શન અને અભિષેક માટે ભક્‍તોની કતારો જોવા મળી હતી.

Related posts

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

Leave a Comment