Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘ પ્રશાસન અને જીવીકેઈએમઆરઆઈ દ્વારા 108 સેવામાં નવી ટેક્‍નીક એનજી 108 ન્‍યુ જનરેશનનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. એમની સાથે ડો. દર્શન માહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશમાં છેલ્લા દસ વર્ષથી 108એમ્‍બ્‍યુલન્‍સની અવિરત સેવા ચાલી રહી છે. આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામાં આવી છે. આ ટેક્‍નીકથી લોકોને 108ની સેવા ખુબજ ઓછા સમયમાં તાત્‍કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્‍પિટલમાં દર્દીની જાણકારી પહોંચી જશે. જેનાથી તાત્‍કાલિક સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાશે અને દરેક સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરને પણ જાણકારી રહેશે જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઈ શકશે. કોઈપણ પ્રકારની ઈમરજન્‍સી અને આપાતકાલીન પરિસ્‍થિતિમાં એનજી 108 કારગત સાબિત થશે હાલમાં સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમાં સૌથી ઓછા સમયમાં રિસ્‍પોન્‍સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘપ્રદેશ પ્રશાસન ભવિષ્‍યમાં 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

દાનહઃ અથાલ નજીક ટ્રિપલ અકસ્‍માતમાં 14 ઈજાગ્રસ્‍ત: ગાય વચ્‍ચે આવી જતા ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ કન્‍ટેનર અને બસને થયો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment