December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘ પ્રશાસન અને જીવીકેઈએમઆરઆઈ દ્વારા 108 સેવામાં નવી ટેક્‍નીક એનજી 108 ન્‍યુ જનરેશનનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. એમની સાથે ડો. દર્શન માહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશમાં છેલ્લા દસ વર્ષથી 108એમ્‍બ્‍યુલન્‍સની અવિરત સેવા ચાલી રહી છે. આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામાં આવી છે. આ ટેક્‍નીકથી લોકોને 108ની સેવા ખુબજ ઓછા સમયમાં તાત્‍કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્‍પિટલમાં દર્દીની જાણકારી પહોંચી જશે. જેનાથી તાત્‍કાલિક સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાશે અને દરેક સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરને પણ જાણકારી રહેશે જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઈ શકશે. કોઈપણ પ્રકારની ઈમરજન્‍સી અને આપાતકાલીન પરિસ્‍થિતિમાં એનજી 108 કારગત સાબિત થશે હાલમાં સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમાં સૌથી ઓછા સમયમાં રિસ્‍પોન્‍સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘપ્રદેશ પ્રશાસન ભવિષ્‍યમાં 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે.

Related posts

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

Leave a Comment