September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: ભારત સરકાર ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્‍ય ચૂંટણી અધિકારી દાનહના માર્ગદર્શનમાં મતદાતાઓને આધારકાર્ડ ડેટા એકત્ર કરવા અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ ચાર સંશોધિત ફોર્મ સંદર્ભે સચિવાલય સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ચાર સંશોધિત ફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી  હતી.ફોર્મ -6 નવા મતદાતા બનાવવા માટે, ફોર્મ-6બી આધાર સાથે મતદાતા ઓળખપત્ર જોડવા માટે, ફોર્મ 7 નામ હટાવવા માટે, ફોર્મ 8 મતદાતા સુચીમાં સંશોધન પોતાના ચૂંટણીઓળખપત્રમાં ફેરફાર અને એક વિધાનસભા ક્ષેત્રમાંથી બીજા વિધાનસભા ક્ષેત્રમાં બદલી કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.

હવે જે પણ યુવા નાગરિક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેઓ પોતાનું નામ આગલા વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ મતદાતા સૂચીમાં નોંધાવવા માટે વર્ષમાં ચાર દિવસ જેમાં 1 જાન્‍યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1ઓક્‍ટોબર પ્રાપ્ત થશે. ઉપસ્‍થિત સભ્‍યોને આધાર ડેટા એકત્ર કરવા માટે શિબિરનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવશે. એની સાથે ઘરે ઘરે જઈ આધાર ડેટા એકત્ર કરવા માટે બુથ લેવલ ઓફિસરોને ઓર્ડર 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી કરવામાં આવ્‍યો છે. આ અવસરે ચૂંટણી અધિકારી અને સેલવાસ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, પંચાયત સભ્‍યો, નગરપાલિકા સભ્‍યો સહિત રાજનીતિક દળોના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી નાઈસના સહયોગથી દમણ પોલીકેબ યુનિટ-1ના ટ્રેનિંગ હોલમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 54 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

Leave a Comment