July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં શરૂ કરાયેલા કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને યુવાવસ્થા દરમિયાન થતાં શરીરના બદલાવો વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન રાખવાની કાળજીઓ તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ ટીમ આંબાતલાટ – ૧ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ ગવળી, એડોલેશન કાઉન્સિલર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
-૦૦૦-

Related posts

કપરાડા તા.પં. કોંગ્રેસ સભ્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ: મોદીનો વિડીયો એડીટીંગ કરી વાયરલ કર્યો

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડ દમણમાં ટોપર બનીઃ કોમર્સ પ્રવાહમાં મેળવેલા 96.40 ટકા ગુણ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

‘વન મહોત્‍સવ 2023′ અંતર્ગત પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાની ઉપસ્‍થિતિમાં દાનહ વનવિભાગ દ્વારા સાયલી ગામમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment