Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં શરૂ કરાયેલા કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને યુવાવસ્થા દરમિયાન થતાં શરીરના બદલાવો વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન રાખવાની કાળજીઓ તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ ટીમ આંબાતલાટ – ૧ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ ગવળી, એડોલેશન કાઉન્સિલર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
-૦૦૦-

Related posts

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

દમણમાં પ્રદેશ સ્‍તરના આયોજીત ‘ગરીબ કલ્‍યાણ સમારંભ’માં ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની સંવેદનશીલતાની ઝળકેલી ઝલક

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

Leave a Comment