December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર વલસાડ જિલ્લામાં શરૂ કરાયેલા કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને યુવાવસ્થા દરમિયાન થતાં શરીરના બદલાવો વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાન રાખવાની કાળજીઓ તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને રાખી વિદ્યાર્થીઓને તેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિરવ પટેલના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ ટીમ આંબાતલાટ – ૧ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય રામજીભાઈ ગવળી, એડોલેશન કાઉન્સિલર અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા.
-૦૦૦-

Related posts

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah

Leave a Comment