-
દાનહના એસ.પી. રાજેન્દ્ર મીણા, સી.ઈ.ઓ. અપૂર્વ શર્મા અને એસડીપીઓની રહેલી ઉપસ્થિતિ
-
જાહેર સભાને સફળબનાવવા સરપંચ ધર્મેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને નેતા યોગેશસિંહ સોલંકી અને આદિત્ય એન.જી.ઓ.ના પ્રમુખ જુલી સોલંકીએ ઉઠાવેલી ભારે જહેમત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04: ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદરા નગર હવેલીના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રી રાજેન્દ્ર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એસ.ડી.પી.ઓ. અને જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં ખુબ જ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને દરેક ગામવાસીઓ પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લગાવે તે માટે પ્રેરિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી ગામના સમાજ સેવક અને નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.