April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

  • દાનહના એસ.પી. રાજેન્‍દ્ર મીણા, સી.ઈ.ઓ. અપૂર્વ શર્મા અને એસડીપીઓની રહેલી ઉપસ્‍થિતિ

  • જાહેર સભાને સફળબનાવવા સરપંચ ધર્મેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને નેતા યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ જુલી સોલંકીએ ઉઠાવેલી ભારે જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 04: ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદરા નગર હવેલીના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી રાજેન્‍દ્ર મીણા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે એસ.ડી.પી.ઓ. અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં ખુબ જ વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી અને દરેક ગામવાસીઓ પોતાના ઘરે રાષ્‍ટ્ર ધ્‍વજ લગાવે તે માટે પ્રેરિત પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી ગામના સમાજ સેવક અને નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

Related posts

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

Leave a Comment