Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

  • દાનહના એસ.પી. રાજેન્‍દ્ર મીણા, સી.ઈ.ઓ. અપૂર્વ શર્મા અને એસડીપીઓની રહેલી ઉપસ્‍થિતિ

  • જાહેર સભાને સફળબનાવવા સરપંચ ધર્મેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને નેતા યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ જુલી સોલંકીએ ઉઠાવેલી ભારે જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 04: ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદરા નગર હવેલીના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી રાજેન્‍દ્ર મીણા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે એસ.ડી.પી.ઓ. અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં ખુબ જ વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી અને દરેક ગામવાસીઓ પોતાના ઘરે રાષ્‍ટ્ર ધ્‍વજ લગાવે તે માટે પ્રેરિત પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી ગામના સમાજ સેવક અને નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

Related posts

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન કરી શરૂ કરેલો વિધિવત પ્રચાર અભિયાન

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

Leave a Comment