Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

  • દાનહના એસ.પી. રાજેન્‍દ્ર મીણા, સી.ઈ.ઓ. અપૂર્વ શર્મા અને એસડીપીઓની રહેલી ઉપસ્‍થિતિ

  • જાહેર સભાને સફળબનાવવા સરપંચ ધર્મેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને નેતા યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ જુલી સોલંકીએ ઉઠાવેલી ભારે જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 04: ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે આજે નરોલી ગ્રામ પંચાયતના પટાંગણમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદરા નગર હવેલીના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી રાજેન્‍દ્ર મીણા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે એસ.ડી.પી.ઓ. અને જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સભામાં મોટી સંખ્‍યામાં મહિલાઓ અને પુરૂષો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની બાબતમાં ખુબ જ વિસ્‍તૃત સમજ આપવામાં આવી હતી અને દરેક ગામવાસીઓ પોતાના ઘરે રાષ્‍ટ્ર ધ્‍વજ લગાવે તે માટે પ્રેરિત પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, નરોલી ગામના સમાજ સેવક અને નેતા શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલી સોલંકીએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

Related posts

ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી

vartmanpravah

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

Leave a Comment