July 17, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે દીવમાં જિલ્લા કક્ષાની પુરૂષ અને મહિલા શ્રેણીની દોરડાખેંચ સ્‍પર્ધા યોજાઈ

પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં સાઉદવાડી ટીમ વિજેતા બની જ્‍યારે ઉપ વિજેતા પુરૂષ શ્રેણીમાં વણાંકબારા અને મહિલા શ્રેણીમાં ઝોલાવાડીની ટીમ રહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.10: આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા અભિયાનના ઉપક્રમે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં અને દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફોરમન બ્રહ્માના માર્ગદર્શનમાં રમત વિભાગ, દીવ દ્વારા જનભાગીદારી સાથે રમત-ગમત સંબંધિત અનેક પ્રવૃતિઓ અને સ્‍પર્ધાઓનું ખુબ જ ઉત્‍સાહ અને ઉમંગ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની કડીમાં આજે તા.10મી ઓગસ્‍ટ, 2022ના રોજ સવારે 10:30 કલાકે પદ્મભૂષણ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ, દીવમાં જિલ્લા સ્‍તરની દોરડાખેંચ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં પુરૂષ શ્રેણીમાં સાઉદવાડી ગ્રામ પંચાયત વિજેતા બની હતી જ્‍યારે વણાંકબારા ગ્રામ પંચાયત ઉપ વિજેતા રહેવા પામી હતી. જ્‍યારે મહિલા શ્રેણીમાં સાઉદવાડી ગ્રામ પંચાયતની ટીમ વિજેતા બની હતી અને ઝોલાવાડી ગ્રામ પંચાયતની ટીમ ઉપ વિજેતા રહીહતી.
દોરડાખેંચ સ્‍પર્ધામાં પુરૂષ અને મહિલા બંને શ્રેણીની વિજેતા અને ઉપ વિજેતા ટીમો સ્‍વતંત્રતા દિવસે દમણમાં યોજાનારી સંઘપ્રદેશ સ્‍તરની દોરડાખેંચ સ્‍પર્ધામાં ભાગ લેશે.
આ દોરડાખેંચ સ્‍પર્ધાનું રમત અધિકારી શ્રી મનિષ સ્‍માર્તના સફળ માર્ગદર્શનમાં જિલ્લા જિલ્લા શારીરિક શિક્ષણના શિક્ષકોના સક્રિય સહયોગ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

લોકસભાની દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ઐતિહાસિક વિજય

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment