June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

સરપંચ સહિત ગ્રામજનો દોઢી આવ્‍યા : સદ્દનસીબે નીચે કોઈ માણસો કે બાળકો હતા નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લા તોફાની પવનો વાઈ રહ્યા છે તેથી ઠેર ઠેર કે ઝુપડાઓના છાપરા ઉડી રહ્યા છે. આજે ગુરૂવારે સવારે 10 વાગ્‍યાના સુમારે વલસાડ લીલાપોરમાં સો વર્ષનું પૌરાણિક વડનું ઝાડ અચાનક પડી જતા દોડધામ મચી હતી.
વલસાડ લીલાપોરના કુંભારવાડ વિસ્‍તારમાં 100 વર્ષનું પૌરાણિક વડલાનું ઝાડ આવેલું છે. આજે સવારે વેગીલા તોફાની પવનોને લઈ વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. ઝાડ નીચે જી.ઈ.બી.ની ડી.પી., ટ્રાન્‍સફોર્મર, એક ટેમ્‍પો અને પાસે આવેલ કીરાનાની દુકાનને નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતાં સરપંચ મનોરભાઈ આહિર સહિત ગ્રામજનો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. મહાકાય ઝાડ નીચે કોઈ બાળક કે માણસ કે પ્રાણી દટાયા તો નથી. તપાસ બાદ કંઈઅજુગતુ બનેલું નહીં તેથી રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડા જેવા ઝડપી પવનોને લીધે અનેક જગ્‍યાએ વૃક્ષો પડવાના બનાવો બની રહ્યા છે.

Related posts

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment