Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્‍ટ, 2022ના રોજ કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી સન્‍માનિત કરાશે.
કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓને પુરસ્‍કાર મળી રહ્યો છે. જેમાં દાનહના મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલનો પણ સમાવેશ છે. આ પુરસ્‍કારનો પ્રારંભ 2018માં ફોજદારી મામલાની તપાસમાં ઉચ્‍ચ વ્‍યવસાયી માપદંડોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્‍યો છે.
કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી 151 પોલીસકર્મીઓને સન્‍માનિત કરાશે. જેમાં દમણ-દીવથી શ્રી લીલાધર મકવાણા પણ સામેલ છે. પુરસ્‍કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં સીબીઆઈથી 15, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્ર પોલીસના 11-11, ઉત્તરપ્રદેશના 10, કેરલ અને રાજસ્‍થાનના 8-8, તામિલનાડુ તથા તેલંગાણાના 5-5, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્‍હીના 6-6 પોલીસકર્મીઓ સામેલ છે. આસામ, હરિયાણા, ઓરિસ્‍સાના 4-4 તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 2 કર્મીઓને આ વર્ષે કેન્‍દ્રીય ગૃહમંત્રી પદથી નવાજવામાં આવનાર છે.

Related posts

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

વલસાડમાં રવિવારી બજારો બંધ કરાવવા જતાં નાના વેપારીઓ અને પાલિકા એક્રોચમેન્‍ટ સ્‍ટાફ સાથે ઘર્ષણ

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

Leave a Comment