Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્‍ટ, 2022ના રોજ કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી સન્‍માનિત કરાશે.
કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓને પુરસ્‍કાર મળી રહ્યો છે. જેમાં દાનહના મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલનો પણ સમાવેશ છે. આ પુરસ્‍કારનો પ્રારંભ 2018માં ફોજદારી મામલાની તપાસમાં ઉચ્‍ચ વ્‍યવસાયી માપદંડોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્‍યો છે.
કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી 151 પોલીસકર્મીઓને સન્‍માનિત કરાશે. જેમાં દમણ-દીવથી શ્રી લીલાધર મકવાણા પણ સામેલ છે. પુરસ્‍કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં સીબીઆઈથી 15, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્ર પોલીસના 11-11, ઉત્તરપ્રદેશના 10, કેરલ અને રાજસ્‍થાનના 8-8, તામિલનાડુ તથા તેલંગાણાના 5-5, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્‍હીના 6-6 પોલીસકર્મીઓ સામેલ છે. આસામ, હરિયાણા, ઓરિસ્‍સાના 4-4 તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 2 કર્મીઓને આ વર્ષે કેન્‍દ્રીય ગૃહમંત્રી પદથી નવાજવામાં આવનાર છે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

વલસાડમાં જાહેરનામાનો ભંગ કરતા ગણેશ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah

Leave a Comment