Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ પ્રશાસનના પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ અનેપી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણાને 15મી ઓગસ્‍ટ, 2022ના રોજ કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી સન્‍માનિત કરાશે.
કેન્‍દ્રીય ગૃહ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે આ વર્ષે દેશની 28 મહિલા પોલીસ અધિકારીઓને પુરસ્‍કાર મળી રહ્યો છે. જેમાં દાનહના મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલનો પણ સમાવેશ છે. આ પુરસ્‍કારનો પ્રારંભ 2018માં ફોજદારી મામલાની તપાસમાં ઉચ્‍ચ વ્‍યવસાયી માપદંડોને ઉત્તેજન આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્‍યો છે.
કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી 151 પોલીસકર્મીઓને સન્‍માનિત કરાશે. જેમાં દમણ-દીવથી શ્રી લીલાધર મકવાણા પણ સામેલ છે. પુરસ્‍કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓમાં સીબીઆઈથી 15, મધ્‍યપ્રદેશ અને મહારાષ્‍ટ્ર પોલીસના 11-11, ઉત્તરપ્રદેશના 10, કેરલ અને રાજસ્‍થાનના 8-8, તામિલનાડુ તથા તેલંગાણાના 5-5, બિહારના 7, ગુજરાત, કર્ણાટક અને દિલ્‍હીના 6-6 પોલીસકર્મીઓ સામેલ છે. આસામ, હરિયાણા, ઓરિસ્‍સાના 4-4 તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના 2 કર્મીઓને આ વર્ષે કેન્‍દ્રીય ગૃહમંત્રી પદથી નવાજવામાં આવનાર છે.

Related posts

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

વાપી જીઆઈડીસી નોટિફાઈડના વહિવટી ક્‍લાર્કને નિવૃત્તિ વિદાય સન્‍માન કરાયું

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

Leave a Comment